કોણ ચલાવે છે POK માં સરકાર? જાણો કેમ પાકિસ્તાની સત્તા ત્યાં નથી લાગુ પડતી?
જમ્મુ-કાશ્મીરના પેહલગામ વિસ્તારમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર તણાવ ઊભો થયો છે. બંને દેશોની સૈન્ય દળો એલર્ટ પર છે અને સરહદ પર સંઘર્ષ જેવી સ્થિતિ સર્જાઈ છે.
ભારતમાં હાલ પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે અને ઘણા લોકો POK ને પાછો મેળવવા માટે માંગ કરી રહ્યાં છે.

લાંબા સમયથી ભારતમાં માંગ ઉઠતી રહી છે કે પીઓકે ફરીથી ભારતનો ભાગ બનવુ જોઈએ. હાલની પરિસ્થિતિમાં લોકો માને છે કે હવે સમય આવી ગયો છે કે પીઓકેને પાછું મેળવવામાં આવે.
પરંતુ જાણીને તમને આશ્ચર્ય થશે કે પાકિસ્તાન જે પીઓકે પર કબજો જમાવેલો છે તે ક્ષેત્ર ટેકનિકલી તેનો અધિકૃત હિસ્સો નથી. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીથી લઈ ત્યાંની કેન્દ્ર સરકાર સુધીને પીઓકેમાં સીધી દખલદારી નથી.
ભારતથી અલગ થયા પછી 1947માં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ તેણે કાશ્મીરના એક મોટા ભાગ પર કબજો કર્યો, જેને આજે પીઓકે તરીકે ઓળખવામાં આવે છે. ત્યારેથી પાકિસ્તાન તેને પોતાનો ભાગ કહે છે, જ્યારે ભારતે ક્યારેય તેને માન્યતા આપી નથી.
પાકિસ્તાનના બંધારણમાં પંજાબ, સિંધ, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વા રાજ્યનો ઉલ્લેખ છે, પણ પીઓકેનો કોઈ ઉલ્લેખ નથી. આ તો એવું છે કે પાકિસ્તાનના બંધારણમાં જ પીઓકેને અલગ રાજ્ય તરીકે દર્શાવાયું નથી. સાથે જ પાકિસ્તાનની સંસદમાં પણ પીઓકેના લોકોનું પ્રતિનિધિત્વ નથી.
પાક અધિકૃત કશ્મીરનું કુલ ક્ષેત્રફળ લગભગ 13,000 ચોરસ કિલોમીટર જેટલું છે અને અહીં લગભગ 40 લાખ લોકો વસે છે. પાકિસ્તાને આ પ્રદેશને પોતાનું કહેવા છતાં અહીંનું રાજકીય અને ન્યાયિક તંત્ર સંપૂર્ણપણે અલગ છે.
પીઓકેમાં અલગ રીતે ચૂંટાયેલી વિધાનસભા છે, પોતાનું શાસનવ્યવસ્થાનું માળખું છે અને પોતાનું પોલીસ દળ પણ છે. અહીંના ન્યાય તંત્ર માટે અલગ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ જેવી વ્યવસ્થાઓ પણ છે. હાલમાં પીઓકેના વડાપ્રધાન તરીકે ચૌધરી અનવર-ઉલ-હક કાર્યરત છે.
પાકિસ્તાન તરફથી પીઓકેને સ્વાયત્તત્વ આપવાનો દાવો થાય છે પણ વિશ્લેષકો અને સ્થાનિક વતનોના જણાવ્યા મુજબ અહીંના નેતાઓ કોણ બનશે અને ચૂંટણીઓમાં કોણ લડી શકશે તે પાકિસ્તાની સૈનિક અને રાજકીય તંત્ર દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. માનવામાં આવે છે કે અહીં પાકિસ્તાનની મંજૂરી વગર રાજકીય લોકો ટકી શકતા નથી.
ભારત હંમેશાથી પીઓકેને પોતાનો અવિભાજ્ય હિસ્સો માનતો રહ્યો છે. સંવિધાનમાં પણ કાશ્મીર સહિત સમગ્ર પ્રદેશને ભારતનો ભાગ ગણવામાં આવ્યો છે. પીઓકે પર પાકિસ્તાનનો કબજો અવૈધ છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી











Click it and Unblock the Notifications
