કોણ હતા કર્પૂરી ઠાકુર, જેમને મરણોપરાંત ભારત રત્ન આપવાનુ મોદી સરકારે કર્યુ એલાન
કર્પૂરી ઠાકુર બિહારના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને અગ્રણી સમાજવાદી નેતા હતા. મોદી સરકારે તેમને મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી આ માહિતી બહાર આવી છે.
જનનાયક તરીકે જાણીતા કર્પૂરી ઠાકુરને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાની જાહેરાત તેમની 100મી જન્મજયંતિના એક દિવસ પહેલા કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પહેલા આવી જાહેરાત બિહારની રાજનીતિ માટે ઘણું મહત્વ ધરાવે છે.

બિહારના સમસ્તીપુર જિલ્લામાં જન્મેલા કર્પૂરી ઠાકુર રાજ્યના બે વખત (જુદા જુદા સમયે) મુખ્યમંત્રી રહ્યા હતા. રાજ્યમાં તેઓ પછાત વર્ગને અવાજ આપનાર પ્રથમ નેતા તરીકે ઓળખાય છે. 24 જાન્યુઆરી, 1924ના રોજ જન્મેલા કર્પૂરી ઠાકુરની રાજનીતિ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આરજેડી સુપ્રીમો લાલુ યાદવની રાજનીતિનો આધાર પણ રહી છે. 17 ફેબ્રુઆરી, 1988ના રોજ તેમનું અવસાન થયું.
તેઓ બિહારની અત્યંત પછાત વાળંદ જાતિના હતા. સમસ્તીપુરમાં પિટૌઝિયા ગામમાં તેમનો જન્મ થયો હતો જે હવે કર્પૂરી ગામ તરીકે ઓળખાય છે. તેમણે વિદ્યાર્થી નેતા તરીકે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં પણ ભાગ લીધો હતો અને લગભગ 26 મહિના જેલમાં વિતાવ્યા હતા.
બિહારના મુખ્ય મંત્રી તરીકેનો તેમનો પ્રથમ કાર્યકાળ ડિસેમ્બર 1970થી જૂન 1971 સુધી સમાજવાદી પક્ષ/ભારતીય ક્રાંતિ દળ તરફથી હતો. બીજી વખત, તેઓ ડિસેમ્બર 1977થી એપ્રિલ 1979 સુધી જનતા પાર્ટીની સરકારમાં મુખ્યમંત્રી હતા.
કર્પૂરી ઠાકુર આજે પણ બિહારના રાજકારણમાં મહત્વ ધરાવે છે, તેની પાછળ હતી તેમની કટ્ટર ઈમાનદારી. તેમને ખૂબ જ સાદું જીવન જીવવું ગમતું હતું અને તેથી જ બે વખત સીએમ બન્યા પછી પણ તેમની પાસે સંપત્તિના નામે કંઈ નહોતું.
બિહારના મુખ્ય મંત્રી બન્યા પછી, તેમણે મુંગેરી લાલ કમિશનની ભલામણો લાગુ કરીને પછાત વર્ગો માટે અનામતનો માર્ગ ખોલ્યો, જે ત્યારથી રાજ્યના રાજકારણમાં સૌથી મુખ્ય મુદ્દો બની ગયો. જોકે, એવું કહેવાય છે કે આ કારણે તેઓ ક્યારેય પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.
કર્પૂરી ઠાકુર વિશે બીજી એક ખૂબ જ રસપ્રદ વાત છે. તેમના કાર્યકાળ દરમિયાન મેટ્રિક પાસ કરનારા બાળકો 'કર્પૂરી ડિવિઝન'થી પાસ ગણાતા હતા. તેનું કારણ એ હતું કે તેમણે બિહાર પરીક્ષા બોર્ડમાં અંગ્રેજીમાં પાસ થવાની આવશ્યકતા નાબૂદ કરી દીધી હતી.
નીતિશ કુમાર પહેલા તેમણે પણ બિહારમાં દારૂબંધીનો પ્રયોગ કર્યો હતો, પરંતુ સરકાર બદલાયા બાદ તેને ફરી શરૂ કરવામાં આવ્યો હતો. બિહારના રાજકારણમાં તેમની સાદગીની ઘણી વાતો આજે પણ પ્રખ્યાત છે. દાખલા તરીકે, તેમની દિનચર્યા એટલી સરળ હતી કે તેઓ પોતાના કપડા જાતે ધોતા અને સૂકવતા અને ઇસ્ત્રી કર્યા વગર પહેરતા. એવું કહેવાય છે કે તેમને હેન્ડપંપ પરથી પોતાના માટે પાણી ભરવાનું પણ પસંદ હતું.
તેમના વિસ્તારમાં તેમની લોકપ્રિયતા એટલી હતી કે તેઓ 1952માં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી જીત્યા અને ત્યાર બાદ તેઓ જ્યારે પણ ચૂંટણી લડ્યા ત્યારે તેઓ જીતતા જ રહ્યા. આજના સમાજવાદી નેતાઓથી વિપરીત, તેમની રાજકીય કારકિર્દીમાં તેમણે હંમેશા ગરીબોના હિતની વાત કરી અને તેમના માટે શેરીઓથી લઈને ગૃહ સુધી લડ્યા.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
