World Science Day: શું છે આ વર્ષે 'વિશ્વ વિજ્ઞાન દિવસ'ની થીમ, કોરોના કાળમાં વિજ્ઞાનની રહી છે મહત્વની ભૂમિકા
વિજ્ઞાનના મહત્વને જ સમજવા માટે દર વર્ષે 10 નવેમ્બરે 'વિશ્વ વિજ્ઞાન દિવસ' મનાવવામાં આવે છે. જાણો તેનુ મહત્વ અને થીમ.
નવી દિલ્લીઃ વિજ્ઞાનના મહત્વને કોરોના કાળમાં લોકોએ ઘણુ સારી રીતે સમજ્યુ છે. જ્યારે આખી દુનિયા ગયા વર્ષે મહામારીની ચપેટમાં હતી ત્યારે ડૉક્ટરોએ જ માનવતાને બચાવવામાં મહત્વનુ યોગદાન આપ્યુ છે. વિજ્ઞાનના મહત્વને જ સમજવા માટે દર વર્ષે 10 નવેમ્બરે 'વિશ્વ વિજ્ઞાન દિવસ' મનાવવામાં આવે છે. વર્ષ 2002થી વિશ્વ વિજ્ઞાન દિવસ શાંતિ અને વિકાસ માટે મનાવવામાં આવે છે. આ દિવસ સમાજના તાંણા-વાંણાને અકબંધ રાખવા અને ફૂલવા-ફાલવા માટે વિજ્ઞાનના મહત્વને સમર્પિત છે. કોરોના મહામારીએ દુનિયાને એ વસ્તુઓને અહેસાસ કરાવ્યો જે વાસ્તવમાં માનવ જાતિના અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ હતી. આમાંથી જ એક વિજ્ઞાન છે.
કેવી રીતે થઈ વિશ્વ વિજ્ઞાન દિવસની શરૂઆત?
આપણા સમાજનુ વિજ્ઞાનના અસ્તિત્વથી અજાણ્યા રહેવુ લગભગ અસંભવ છે કારણકે આપણા દૈનિક જીવનમાં વિજ્ઞાનનુ મહત્વ કોરોના મહામારીમાં ફરીથી જીવંત થઈ ગયુ. વિશ્વ વિજ્ઞાન દિવસ ઉભરતા વૈજ્ઞાનિક મુદ્દાઓ પર ચર્ચામાં વ્યાપક જનતાને શામેલ કરવાની જરુરિયાત પર પણ પ્રકાશ પાડે છે. વિશ્વ વિજ્ઞાન દિવસ 2001માં સંયુક્ત રાષ્ટ્ર શિક્ષક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન(UNESCO) દ્વારા ઘોષિત કરવામાં આવ્યો હતો અને 2002માં પહેલા વાર મનાવવામાં આવ્યો હતો.
વર્ષ 1999માં હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં વિજ્ઞાન વિશે એક વૈશ્વિક સંમેલન થયુ જેમાં એક સંગઠનથી વધુ જેણે પ્રતિબદ્ધતાની અવધારણને ઠોસ બનાવી. આ સંમેલમાં વિજ્ઞાન પ્રત્યે તેના અનુપ્રયોગ અને તેના કારણે સમાજ પર પરિલક્ષિત કરવામાં આવ્યા. 2001માં યૂનેસ્કો દ્વારા આની ઘોષણા બાદથી આ દવસે ઘણી પરિયોજનાઓ અને કાર્યક્રમોને શરૂ કરવામાં આવ્યા છે જેના ફળદાયી અને અનુકૂળ પરિણામો પ્રાપ્ત થયા છે. સંશાધનોના નિર્મમ ઉપયોગથી વિકાસને કિનારે કરી દેવામાં આવ્યો અને સ્થિરતા એક મુખ્યધારાની દ્રષ્ટિ બની ગઈ.
આપણે સહુ જાણીએ છીએ કે વિજ્ઞાન સૂચના અને જ્ઞાનનો આધાર છે માટે સમાજને વધુ જાગૃત બનાવવાનો પણ આ દિવસ મનાવવાનો એક ઉદ્દેશ્ય છે. શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસને સ્વીકારવાના બે દશક બાદ, દુનિયા મહામારીની ચપેટમાં આવી ગઈ હતી અને એઆ દિવસને પૂરુ કરવાનુ લક્ષ્ય જરુર સાકાર થઈ ગયુ. પરિણામે શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ, 2020નો વિષય 'વૈશ્વિક મહામારી સામે લડવામાં સમાજ માટે અને તેની સાથે વિજ્ઞાન' તરીકે નક્કી કરવામાં આવ્યો હતો.