હવે વોટ્સઅપ પર રિપ્લાય કરવા માટે ઓનલાઇન હોવાની જરૂર નથી
સામાન્ય રીતે આ ફરિયાદ દરેક વોટ્સઅપ યુઝરને હોય છે કે તે જ્યારે જ્યારે ઓનલાઇન થાય છે ત્યારે તેમના કોન્ટેક્ટસમાં હાજર તમામ લોકો આ વાતને જોઇ શકે છે. ત્યારે યુઝર્સની આ મુશ્કેલનો અંત જલ્દી જ વોટ્સ અપ નીકાળવાની છે. અને હવે તમે ઓનલાઇન થયા વગર પણ તમારા વોટ્સઅપના મેસેજના રિપ્લાય આપી શકશો.
વોટ્સ અપમાં ડિલિટેડ મેસેજ કેવી રીતે પાછા લાવશો?
ચેટિંગ એપ્સ વોટસઅપે એક નવો ફિચર અપડેટ કર્યો છે. આ ફિચરથી યૂઝર નોટિફિકેશનથી જ જલ્દી રિપ્લાય કરી શકશે. અને સાથે જ આ ફિચરથી યુઝરને લાસ્ટ સીન અને ઓનલાઇન દિખાવાની મુશ્કેલીમાંથી પણ છૂટકારો મળશે.
8 વાતો: જે તમામ વોટ્સઅપ યુઝર્સને ખબર હોવી જ જોઇએ
વોટ્સઅપના આ નવા ફિચરના કારણે યુઝર્સ વોટ્સઅપ નોટિફિકેશનથી જ સીધો જલ્દી રિપ્લાય કરી શકશે. અને આ માટે તમારે વોટ્સઅપ પણ ખોલવાની જરૂર નહીં પડે. વળી આ દ્વારા તમે ઓનલાઇન આવ્યા વગર કે પછી લાસ્ટ સીનમાં દેખાયા વગર પણ મેસેજના રિપ્લાય કરી શકશો.
આ ફિચર દ્વારા યુઝર કે અન્ય કોન્ટેક્ટસને ખબર પણ નહીં પડે કે યુઝર ક્યારે ઓનલાઇન થયા હતા. વળી યૂઝરના લાસ્ટ સીનમાં પણ તે જ ટાઇમ રહેશે જ્યારે યુઝરે વોટ્સઅપ ખોલ્યું હશે.
આ 8 ચિહ્નો તમને કહી દેશે કે તમને WhatsAppનું વ્યસન છે
નોંધનીય છે કે હાલ તો ફિચર માત્ર ios યૂઝર્સ માટે જ અપડેટ કરવામાં આવ્યો છે. માટે તેનો ફાયદો ખાલી ios યૂઝરને જ થશે. જો કે આ ફિચરનો ફાયદો એન્ડ્રોઇડ યુઝર્સને ક્યારે પણ તેની હાલ કોઇ જાણકારી પ્રાપ્ત નથી.