શિયાળામાં મૂળો ખાવાથી થશે અઢળક ફાયદા, ગંભીર બીમારીઓથી દૂર રાખશે
શિયાળામાં મૂળો ખાવાથી થશે અઢળક ફાયદા, ગંભીર બીમારીઓથી દૂર રાખશે
સ્વાદમાં તૂરો લાગતો મૂળો શિયાળો આવતાંની સાથે જ ઘરે- ઘરે પહોંચી જાય છે. પરંતુ જો તમે પણ મૂળાને જોઈને મોઢું બગાડતા હોવ છો તો તમારે તેના ફાયદા ચોક્કસ જાણવા જોઈએ. મૂળામાં ઔષધિક ગુણોનો ભંડાર રહેલો છે. જે તમને અઢળક ગંભીર બીમારીઓથી દૂર રાખે છે. મહત્વનું છે કે મૂળામાં રહેલાં ફાઈટોકેમિકલ્સ આપણને કેટલીય બીમારીઓથી દૂર રાખે છે. અહીં જાણો મૂળો ખાવાનો યોગ્ય સમય અને તેનાથી થતા ફાયદા...

મૂળો ખાવાનો યોગ્ય સમય
મૂળાની તાસીર ગરમ હોય છે માટે મૂળો શિયાળામાં વધુ ખવાય છે અને તેનું ઉત્પાદન પણ શિયાળામાં વધુ થાય છે. રાત્રીના સમયે મૂળાનું સેવન ના કરવું જોઈએ, આવું કરવાથી શરદી, ઉધરસની સમસ્યા સર્જાઈ શકે છે. સાંજ પડ્યા પછી મૂળાની તાસીર પરિવર્તિત થઈ જાય છે તો શરીરને ઠંડક પહોંચાડે છે. માટે ભૂલથી પણ રાત્રીના સમયે મૂળાનું સેવન કરવું નહિ.

બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે
મૂળો ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. કેમ કે મૂળામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે. આની સાથે જ મૂળામાં એક ખાસ પ્રકારની એન્ટી હાઈપરટેસિવ હોય છે જે બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં ઘણી મદદ કરે છે.

જૉન્ડિસના દર્દીઓ માટે ફાયદાકારક
મૂળો જૉન્ડિસના દર્દીઓ માટે ઘણો ફાયદાકારક હોય છે. જે લોકોને જૉન્ડિસ થઈ ચૂક્યો હોય છે અથવા તો જે લોકો રિકવર થઈ રહ્યા છે તેમણે મીઠું સાથે મૂળો ખાવો જોઈએ. જેનાથી કમળો તરત ઠીક થઈ જાય છે.

શરદી- તાવથી છૂટકારો
શિયાળામાં આપણને સૌથી વધુ જે બિમારીઓ થાય છે તે તાવ અને ઉધરસ છે, જો તમે દરરોજ મૂળાનું સેવન કરો છો તો શરદી ઉધરસ અને તાવ આવવાની સંભાવના તમને ના બરાબર રહે છે.

ગેસની સમસ્યા દૂર કરે છે
એવા કેટલાય લોકો હશે જેમને ગેસની સમસ્યા પરેશાન કરી રહી હોય અને તેમને એવું લાગતું હોય છે કે જો મૂળાનું સેવન કરશે તો તેમના પેટની સમસ્યા વધી શકે છે પરંતુ આવું નથી. મૂળો ખાવાથી ગેસની સમસ્યા ઘટે છે.

હાર્ટ અટેકનો ખતરો ઘટાડે
મૂળો ખાવાથી હાર્ટ અટેકનો ખતરો ઘટી જાય છે. જણાવી દઈએ કે મૂળો એંથોસાઈનિનનો સારો એવો સ્ત્રોત છે, જેને લઈ કેટલાંય અધ્યયન કરાયાં છે અને નિષ્ણાંતોનું માનવું છે કે મૂળો ખાવાથી હ્રદય રોગની ઘટનાઓ ઘટાડી શકાય છે.

ડાયાબિટીસમાં પણ રાહત
મૂળો ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને પણ ફાયદો થાય છે. મૂળાના સેવનથી બ્લડ સુગરના લેવલ પર કોઈ અસર નથી પડતી. મૂળો લોહીની માત્રામાં સુગરના અવશોષણને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. માટે ડાયાબિટીસના દર્દી મૂળાનું સેવન કરી શકે છે. આ તેમના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ એકવાર ડૉક્ટરની સલાહ જરૂર લઈ લેવી.
-
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
