બીકાનેરમાં મહિલાએ પ્લાસ્ટિક જેવા દેખાતા જોડીયા બાળકોને જન્મ આપ્યો, જાણો શું હોય છે આ રેર બીમારી?
હાલ રાજસ્થાનમાં એક મહિલાએ જન્મ આપેલા જોડિયા બાળકોની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. અહેવાલો અનુસાર, આ બાળકો પ્લાસ્ટિક જેવા દેખાય છે.
બાળકોના જન્મ બાદ લોકો તેને એલિયન બેબી કહીને સંબોધન કરી રહ્યાં છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ બાળકો અજીબ બીમારીનો શિકાર હતા અને 4 દિવસ પછી મોત થઈ ગયુ.

બંને બાળકોને જન્મ બાદ હાલત નાજુક હોવાથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં જન્મના 4 દિવસ બાદ બંને બાળકોનું મોત નીપજ્યું. આ બન્ને બાળકોની ત્વચા પ્લાસ્ટિક જેવી હતી અને નખ જેવી સખત હતી અને ત્વચા ફાટી ગઈ. તેમજ બંને બાળકોની આંખો પણ અવિકસિત હતી.
ખાનગી હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા અનુસાર, આ બાળકોને હાર્લેક્વિન-ટાઈપ ઈચથિઓસિસ નામની દુર્લભ બીમારી હતી. આ ખૂબ જ દુર્લભ રોગ છે. આ રોગથી પીડિત બાળકો ભાગ્યે જ એક અઠવાડિયા સુધી જીવી શકે છે. આપણા દેશમાં આ પહેલો કિસ્સો છે, જે બાળકોમાં જોવા મળી રહ્યો છે.
હાર્લેક્વિન-પ્રકાર ઇચથિઓસિસ એક દુર્લભ અને ગંભીર ત્વચા વિકાર છે જે ત્વચાના સ્તરોને વધુ પડતું જાડું અને સખત બનાવે છે. તેને હાર્લેક્વિન બ્યુટી પણ કહેવામાં આવે છે.
તેના લક્ષણોમાં ચામડીના મોટા અને જાડા પેચનો સમાવેશ થાય છે, ઘણીવાર લાલ, ચાંદા અને તિરાડ હોય છે. તે જન્મ સમયે જોવા મળે છે અને તેના લક્ષણો જન્મતાની સાથે જ દેખાય છે. ક્લીવલેન્ડ ક્લિનિક અનુસાર, આ એક આનુવંશિક રોગ છે, જે 5 લાખમાંથી એક બાળકને અસર કરે છે.
જણાવી દઈએ કે, પુરુષો અને સ્ત્રીઓમાં 23-23 રંગસૂત્રો જોવા મળે છે. જો માતા-પિતાના રંગસૂત્રમાંથી કોઈ એક ચેપગ્રસ્ત હોય તો જન્મેલા બાળકને ichthyosis હોઈ શકે છે. આ દુર્લભ રોગ માતાપિતાના ABCA12 નામના જનીનમાં ખામીને કારણે થાય છે, જે ત્વચાના કોષોમાં કેરાટિન જમા કરે છે અને તેમને સખત બનાવે છે.
આ બીમારીનો કોઈ કાયમી ઈલાજ નથી. આ રોગવાળા માત્ર 10% બાળકો જ સંપૂર્ણ સ્વસ્થ થઈ શકે છે. ઘણી વખત આનાથી પીડિત માત્ર દોઢ વર્ષ જીવી શકે છે, જ્યારે કેટલાક 25 વર્ષ સુધી પણ જીવી શકે છે, પરંતુ તેમને જીવનભર આ સમસ્યામાંથી પસાર થવું પડે છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
