જો તમે આ 5 બીમારીઓથી પરેશાન છો તો ભૂલથી પણ દૂધ ન પીવો
નાનપણથી જ આપણે બધાએ દૂધ પીવાના અનેક ફાયદા સાંભળ્યા છે. દૂધમાં કેલ્શિયમ, વિટામીન A, K અને B12 સાથે થાઈમીન અને નિકોટિનિક એસિડ જેવા પોષક તત્વો હોય છે, જે તેને સંપૂર્ણ ખોરાક બનાવે છે.
નવી દિલ્હી : નાનપણથી જ આપણે બધાએ દૂધ પીવાના અનેક ફાયદા સાંભળ્યા છે. દૂધમાં કેલ્શિયમ, વિટામીન A, K અને B12 સાથે થાઈમીન અને નિકોટિનિક એસિડ જેવા પોષક તત્વો હોય છે, જે તેને સંપૂર્ણ ખોરાક બનાવે છે. એવું માનવામાં આવે છે કે, દરરોજ દૂધ પીવાથી વ્યક્તિ કબજિયાત, તણાવ, અનિદ્રા, થાક અને નબળાઈથી દૂર રહે છે.
આ સાથે દૂધમાં હાજર કેલ્શિયમ દાંત અને હાડકાંની મજબૂતી માટે પણ જરૂરી માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે, દૂધ દરેક માટે ફાયદાકારક સાબિત થતું નથી. કેટલાક લોકો માટે દૂધનું સેવન પણ ઘણું નુકસાનકારક હોય છે. તો આજે અમે તમને જણાવીએ કે આવા લોકો કોણ છે, જેમણે દૂધ પીવાથી બચવું જોઈએ.
આ લોકોએ દૂધ ન પીવું જોઈએ
જે લોકોને કમળો, ઝાડા, મરડો અથવા એવી કોઈ સમસ્યા હોય કે જેનાથી સાંધા પર સોજો આવે તો એવા લોકોએ દૂધનું સેવન ટાળવું જોઈએ. ઘણીવાર એવું જોવામાંઆવ્યું છે કે, દૂધના વધુ પડતા સેવનને કારણે કેટલાક લોકો લીવરમાં સોજો વધી જવાની ફરિયાદ કરે છે અને ફાઈબ્રોઈડની સમસ્યા પણ થઈ શકે છે. જો આવા લોકોસતત દૂધનું સેવન કરતા રહે તો તેમની સમસ્યા પણ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
1. ફેટી લીવર
ફેટી લીવરની સમસ્યાથી પીડિત લોકોએ દૂધ ન પીવું જોઈએ, આવા લોકો દૂધ સરળતાથી પચી શકતા નથી.
ફેટી લિવરથી પીડિત લોકોને ખૂબ જ મર્યાદિત માત્રામાંપ્રોટીન લેવાની સલાહ આપવામાં આવે છે અને દૂધ પ્રોટીનથી ભરપૂર હોય છે.
આવી સ્થિતિમાં દૂધ પીવાથી અપચો, એસિડિટી, ગેસ, સુસ્તી, થાક, વજન વધવું કે ઘટવુંજેવી સમસ્યાઓ થઈ શકે છે.
2. ગેસની સમસ્યા
દૂધમાં લેક્ટોઝ હોય છે, જે ક્યારેક પાચનને બગાડે છે. આ કારણે વધુ પડતું દૂધ પીવાથી ઝાડા, પેટનું ફૂલવું અથવા ગેસ થઈ શકે છે. ડોક્ટર્સ વારંવાર ભલામણ કરે છેકે, જેઓને ગેસની સમસ્યા હોય તેમણે દૂધનું સેવન ટાળવું જોઈએ.
3. એલર્જી
કેટલાક લોકોને દૂધની એલર્જી પણ થાય છે. આનું કારણ પણ લેક્ટોઝ છે. આ કિસ્સામાં તે રોગપ્રતિકારક શક્તિને અસર કરી શકે છે. જેના કારણે ત્વચા પર ખંજવાળ,લાલ ફોલ્લીઓ સાથે શ્વાસ લેવામાં તકલીફ અથવા શરીરમાં સોજો આવી શકે છે, તેથી જો કોઈને એલર્જીની સમસ્યા હોય તો તેણે દૂધનું સેવન ન કરવું જોઈએ.
4. સ્થૂળતા
જો તમે સ્થૂળતાથી પરેશાન છો, તો ઓછામાં ઓછું દૂધનું સેવન કરો. કારણ કે દૂધ એક સંપૂર્ણ ખોરાક છે, પરંતુ દૂધ શરીરમાં વધારાની ચરબી જમા કરે છે.
5. ત્વચાની સમસ્યાઓ
વધુ માત્રામાં દૂધનું સેવન ત્વચા માટે પણ ફાયદાકારક નથી, તેનાથી પિમ્પલ આવવાની શક્યતા વધી જાય છે અને ખીલની સમસ્યા પણ થઈ શકે છે, તેથી તેનું સેવનસાવધાનીથી કરો.