કરોડરજ્જુમાં દુઃખાવો થઇ જશે દૂર, આજથી જ ખાવ આ વસ્તુઓ
જો તમારે કરોડરજ્જુને મજબૂત બનાવવી હોય તો માત્ર અને માત્ર તમારા આહારમાં ફેરફાર કરવો પડશે. તમારે તમારા આહારમાં વધુને વધુ બદામ અને લીલા શાકભાજીનો સમાવેશ કરવો પડશે, તો જ તમારી કરોડરજ્જુ મજબૂત રહેશે.
જો તમારે કરોડરજ્જુને મજબૂત બનાવવી હોય તો માત્ર અને માત્ર તમારા આહારમાં ફેરફાર કરવો પડશે. તમારે તમારા આહારમાં વધુને વધુ બદામ અને લીલા શાકભાજીનો સમાવેશ કરવો પડશે, તો જ તમારી કરોડરજ્જુ મજબૂત રહેશે. નબળી જીવનશૈલીના કારણે કરોડરજ્જુ નબળી પડવી એ સામાન્ય ફરિયાદ બની રહી છે.
એટલા માટે કહેવાય છે કે, આપણે આપણા ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવી સ્થિતિમાં તમારા આહારમાં એવી વસ્તુઓ ખાવાનો પ્રયાસ કરો, જે તમારી કરોડરજ્જુને મજબૂત બનાવે છે. તો ચાલો જાણીએ આવી કઈ કઈ વસ્તુઓ ખાવી જોઈએ, જેનાથી કરોડરજ્જુ મજબૂત થાય છે.
લીલા પાંદડાવાળા શાકભાજી
એવું માનવામાં આવે છે કે, લીલા પાંદડાવાળા શાકભાજી બધા દર્દની દવા છે. તે આપણા શરીરની કરોડરજ્જુને મજબૂત બનાવવામાંમહત્વની ભૂમિકા ભજવે છે. તમે રોજ લીલા પાંદડાવાળા શાકભાજીમાં પાલક ખાઈ શકો છો. વાસ્તવમાં, લીલા પાંદડાવાળા શાકભાજીમાંભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, જે હાડકાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ છે.
નારંગી શાકભાજી ખાઓ, કરોડરજ્જુ મજબૂત રહેશે
આ સિવાય તમે નારંગી શાકભાજી પણ ખાઈ શકો છો. આ ખાવાથી કરોડરજ્જુ પણ મજબૂત બને છે. આમાં તમે કોથમીર, શક્કરિયા અને ગાજરપણ ખાઈ શકો છો.
તમારા આહારમાં અખરોટનો સમાવેશ કરો
તેની સાથે કરોડરજ્જુને મજબૂત કરવા માટે તમે બદામ અને અખરોટ જેવા નટ્સ ખાઈ શકો છો. વાસ્તવમાં, બદામ કેલ્શિયમ અને વિટામિનઈનો સારો સ્ત્રોત છે. અખરોટમાં અન્ય ડ્રાઇ ફ્રુટ કરતા વધુ ઓમેગા 3 હોવાનું માનવામાં આવે છે. આ સાથે તેને ખાવાથી શરીરમાં સોજો પણ
આવતો નથી.