Pregnancy Myths : ગર્ભધારણ સાથે જોડાયેલા 5 તથ્યો, જાણી લો ફાયદામાં રહેશો
Pregnancy Myths : ઉંમર સાથે મહિલાઓના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. આવા સમયે આપણે આ અહેવાલમાં ગર્ભધારણ કરવા સાથે જોડાયેલા મિથ એટલે કે ભ્રામક ખ્યાલો વિશે.
Pregnancy Myths : ગર્ભાવસ્થા અંગે લોકોમાં ઘણા ભ્રામક ખ્યાલો પ્રવર્તી રહ્યા છે. પ્રેગ્નેન્સીના થોડા સમય બાદ મહિલાના શરીરમાં ઘણા બદલાવ થાય છે. ખાસ કરીને ઉંમર સાથે મહિલાઓના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. આવા સમયે આપણે આ અહેવાલમાં ગર્ભધારણ કરવા સાથે જોડાયેલા મિથ એટલે કે ભ્રામક ખ્યાલો વિશે.

તથ્ય 1 : તમે 30 વર્ષ બાદ ગર્ભવતી થવામાં સમસ્યા આવે છે?
સ્ત્રીની ઉંમર સાથે અંડકોષની ગુણવત્તા અને સંખ્યા ઘટતી જાય છે, પરંતુ આ ઘટના અચાનક બનતી નથી. જો મહિલાઓ ખોરાક અનેપોષણ, સારા સ્વાસ્થ્યમાં રહેવા અને નિયમિત ચેકઅપ કરાવવા જેવા પાસાઓનું ધ્યાન રાખે તો 30 વર્ષ બાદ પણ તંદુરસ્ત અને સફળગર્ભાવસ્થા ધારણ કરી શકે છે.

તથ્ય 2 : મહિલાઓએ IVF સારવાર પસંદ કરવી જોઈએ
એ વાત સાચી છે કે, 30 વર્ષ બાદ ગર્ભ ધારણ કરવામાં 6 થી 12 મહિના વધુ સમય લાગી શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે કુદરતીગર્ભાવસ્થા અશક્ય બની જાય છે. સારી કાઉન્સેલિંગ અને ધીરજ સાથે, IVF ની જરૂર વગર 30 વર્ષ બાદ પણ ગર્ભાવસ્થા શક્ય છે.

તથ્ય 3 : પ્રજનનક્ષમતામાં ઘટાડો, ગર્ભાવસ્થામાં અડચણ છે?
30 વર્ષની ઉંમર બાદ મહિલાઓને તેમના પ્રજનન સ્તરમાં અચાનક ઘટાડો થતો નથી. 30 વર્ષની ઉંમર બાદ અને ફરીથી 40 ના દાયકાનીશરૂઆતમાં પ્રજનનક્ષમતાના સ્તરમાં ધીમે ધીમે ઘટાડો થાય છે. જો સ્ત્રી સ્વસ્થ છે અને પ્રજનનક્ષમતાનું સ્તર સારું છે, તો 30 વર્ષ બાદ પણગર્ભવતી થવું મુશ્કેલ નહીં હોય.

તથ્ય 4 : 30 બાદ કસુવાવડનું જોખમ વધી જાય છે
ધૂમ્રપાન, આલ્કોહોલનું સેવન, એપિલેપ્સી, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓને કારણે ગર્ભાવસ્થા દરમિયાન કસુવાવડનીશક્યતા વધી જાય છે. વય પોતે કસુવાવડ અથવા હજૂ પણ સમય પહેલા જન્મની ઘટનાનું કારણ નથી.

તથ્ય 5 : મહિલાઓને સર્જરી કરાવવી પડે છે સી-સેક્શન
ઘણી સ્ત્રીઓ આયોજિત સી-સેક્શન ડિલિવરી માટે ફક્ત એટલા માટે પસંદ કરે છે. કારણ કે, તેઓ 30 થી વધુ છે, પરંતુ એટલા માટે નહીં કેતેમની પાસે જટિલ, ઉચ્ચ જોખમવાળી ગર્ભાવસ્થા છે. 30 કે 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ સફળ કુદરતી પ્રસૂતિ કરાવી શકે છે.
-
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
