જાણો: શ્વાન કરડે તો શું કરશો ઇલાજ?
28 સપ્ટેમ્બરને "વિશ્વ રેબીઝ દિવસ" (World Rabies Day) તરીકે મનાવવામાં આવે છે. રેબીઝ એક ભયંકર જીવલેણ બીમારી છે. જેને "હાઇડ્રોફોબિયા", "લાઇસા", અને "ગાંડપણ" કહે છે.
સામાન્ય રીતે આ રોગ જાનવરો એટલે કે શ્વાન અથવા તો બિલાડીને થાય છે. આ સંક્રમિત પશુઓની લાડના માધ્યમથી ફેલાતો રોગ છે. રેબીઝ માત્ર એક ઘાતક બિમારી જ નથી પરંતુ આ એક સ્વસ્થ્ય માણસનો જીવ પણ લઇ શકે છે.
વિશ્વ રેબીઝ દિવસની શરૂઆત ઇગ્લેન્ડની એક સંસ્થા ગ્લોબલ એલાયન્સ ફોર રેબીઝ કંટ્રોલ દ્વારા વર્ષ 2007માં કરવામાં આવી હતી. ત્યારથી દરેક વર્ષે રેબીઝની રસીના શોધક લુઇસ પાશ્વરના નિધન દિવસ એટલે કે 28 સપ્ટેમ્બરના રોજ આ દિવસને મનાવવામાં આવે છે.
આજે વનઇન્ડીયાના આ આર્ટીકલમાં અમે તમને રેબીઝથી બચવાના કેટલાક ઉપાયો જણાવીશું. અમે તમને જાણકારી આપીશું કે જો તમને કોઇ શ્વાન કરડે તો તેના વાઇરસથી કેવી રીતે બચી શકાય છે.

ઘાને પાણી વડે સાફ કરો
શ્વાન જ્યારે કરડે ત્યારે તેને પાણીની તેજ ધાર વડે ધોઇ બરાબર સાફ કરી નાખો. તેનાથી બેક્ટેરીયા અને અન્ય કીટાણુંઓનો સફાયો થઇ જશે. જરૂરિયાત જણાય તો એન્ટીબેક્ટેરિયલ સાબુનો પણ પ્રયોગ કરો.

ઘાને દબાવો
શ્વાનના કરડવાથી જો ઘામાંથી લોહી નીકળે છે, તો તેને દબાવી દો.

એન્ટીબાયોટીક ક્રીમ લગાવો
એન્ટીબાયોટીક ક્રીમ લગાવવાથી ઝેરીલા તત્વોનો ફેલાવો આખા શરીરમાં થતો અટકી જશે.

પાટો બાંધી દો
એન્ટીબાયોટીક ક્રીમ લગાવ્યા બાદ ઘા પર પટ્ટી બાંધી દો. જેથી બહારના બેક્ટેરીયાથી ઘાનું રક્ષણ થઇ શકે અને તેનાથી રોગીને આરામ મળશે.

ડૉક્ટર
શ્વાનના કરડવા પર પ્રાથમિક ઉપચાર કર્યા બાદ ડૉક્ટરની સલાહ લઇને ટીટનેસનું ઇજેક્શન તેમજ દવાઓ લઇ લેવી જોઇએ.
-
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી












Click it and Unblock the Notifications
