કૃષી કાયદા પરત લેવાતા કંગના ભડકી, સરકારના નિર્ણયને શરમજનક કહ્યો!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી છે. અભિનેત્રી કંગના રાણાવત મોદી સરકારના આ નિર્ણયથી નારાજ દેખાઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી છે. અભિનેત્રી કંગના રાણાવત મોદી સરકારના આ નિર્ણયથી નારાજ દેખાઈ રહી છે. કંગનાએ કૃષિ કાયદાની વાપસીને દુઃખદ અને શરમજનક ગણાવતા કહ્યું કે મોદી સરકારનો આ નિર્ણય સંપૂર્ણપણે અયોગ્ય છે. કંગનાએ ઈન્ટાગ્રામ પર સ્ટોરી કરીને પોતાની ભડાસ કાઢી છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વર્ષથી વધુ સમયથી વિવાદમાં રહેલા ત્રણ કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત કરી હતી અને આ માટે સંસદના આગામી સત્રમાં બિલ લાવવામાં આવશે.
કંગનાએ કહ્યું કે જો લોકો સંસદમાં ચૂંટાયેલી સરકારની જગ્યાએ રોડ પર કાયદો બનાવવાનું શરૂ કરે તો તે જેહાદી રાષ્ટ્ર છે. જે આ ઈચ્છતા હતા તેઓને અભિનંદન. જણાવી દઈએ કે આજે રાષ્ટ્રને પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે અમે ખેડૂતોને સમજાવી શક્યા નથી, અમારી તપસ્યાનો અભાવ હતો, જેના કારણે અમારે આ કાયદા પાછા ખેંચવા પડ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે, તેની સરકાર તમામ પ્રયાસો છતાં ખેડૂતોના એક વર્ગને ત્રણ નવા કૃષિ કાયદાના ફાયદા સમજાવવામાં નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું કે આ ત્રણ કૃષિ કાયદાઓનો ઉદ્દેશ્ય ખેડૂતો ખાસ કરીને નાના ખેડૂતોનું સશક્તિકરણ છે. ત્રણ કૃષિ કાયદાઓનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે, દેશના દરેક ખૂણામાં ખેડૂતો અને ખેડૂત સંગઠનોએ તેનું સ્વાગત કર્યું છે અને સમર્થન કર્યું છે. હું આજે તે બધાનો ખૂબ જ આભારી છું.
તેમણે કહ્યું કે, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે છે, ખાસ કરીને નાના ખેડૂતોના કલ્યાણ માટે, દેશના કૃષિ જગતના હિતમાં, દેશના હિતમાં, ગામડાના ગરીબોના ઉજ્જવળ ભવિષ્ય માટે, સંપૂર્ણ ઇમાનદારી સાથે ખેડૂતો માટે આ કાયદો લાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, આટલી પવિત્ર વસ્તુ, સંપૂર્ણપણે શુદ્ધ, ખેડૂતોના હિતની બાબત અમે અમારા પ્રયત્નો છતાં કેટલાક ખેડૂતોને સમજાવી શક્યા નથી. તેમણે કહ્યું કે કૃષિ અર્થશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો, પ્રગતિશીલ ખેડૂતોએ પણ તેમને કૃષિ કાયદાઓનું મહત્વ સમજાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. આજે હું તમને આખા દેશને જણાવવા આવ્યો છું કે અમે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે.
પીએમ મોદીએ કહ્યું કે, આ મહિનાના અંતમાં શરૂ થઈ રહેલા સંસદ સત્રમાં અમે આ ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની બંધારણીય પ્રક્રિયા પૂર્ણ કરીશું. તેને વધુ પારદર્શક બનાવવા માટે, આવા તમામ વિષયો પર નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ અર્થશાસ્ત્રીઓના પ્રતિનિધિઓ હશે.