વડા પ્રધાનપદના ઉમેદવાર માટે એનડીએ ‘સંપૂર્ણ સંગઠિત’ : ભાજપ

શિવસેના સુપ્રીમો બાલ ઠાકરેએ શનિવારે આપેલા નિવેદન કે ‘ભાજપમાં સુષ્મા સ્વરાજ વડા પ્રધાનપદ માટે સૌથી વધારે યોગ્ય ઉમેદવાર છે.' એ ભાજપમાં ચર્ચાનો દોર શરૂ કર્યો હતો. બીજી તરફ આજે જેડીયુના અધ્યક્ષ શરદ યાદવે તેમનો પક્ષ ગુજરાતમાં આવનારી ચૂંટણીઓ એનડીએ સાથે મળીને લડવાને બદલે સ્વતંત્ર રીતે લડવાની જાહેરાત કરતા મુખ્ય વિરોધ પક્ષ ભાજપ સમસમી ગયો હતો.
જોકે ભાજપે ઠાકરેના નિવેદન સામે પ્રવક્તા શાહનવાઝ હુસૈનને વધારે કંઇ નહીં બોલતા પાર્ટી ડેમેજ કન્ટ્રોલ કરશે તેમ જણાવ્યું હતું. હુસૈને જણાવ્યું કે ‘એનડીએ સંપૂર્ણ રીતે સંગઠિત છે અને આવનારી લોકસભા ચૂંટણીઓમાં અમે જ સરકાર રચીશું. અમે આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છીએ.' એનડીએના વડા પ્રધાનપદના ઉમેદવારની પસંદગીના મુદ્દે શરૂ થયેલા વંટોળનો જવાબ આપતા તેમણે જણાવ્યું કે ‘આ મુદ્દે યોગ્ય સમયે પાર્ટી યોગ્ય નર્ણય લેશે.'
વડા પ્રધાનપદના ઉમેદવાર અંગે હુસૈને વધારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ‘જ્યારે ચૂંટણીઓ આવશે, ત્યારે વડા પ્રધાનપદના ઉમેદવારની પસંદગીનો સમય પણ આવશે. ચૂંટણીઓ યોજાવો દો ત્યારે અમે અમારો જવાબ આપીશું.' વડા પ્રધાનપદના ઉમેદવાર માટે દરેક પક્ષો જુદા જુદા નામ રજૂ કરી રહ્યા હોવા અંગે તેમણે જણાવ્યું કે ‘દરેકને પોતાનો મત જણાવવાનો અધિકાર છે.' બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે સંકેત આપ્યા છે કે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદના ઉમેદવાર નહીં હોય, ઠાકરે સુષ્મા સ્વરાજને સમર્થન આપી રહ્યા છે.
જ્યારે એસએડી માને છે કે લાંબા સમયથી રાજકારણમાં સક્રિય લાલકૃષ્ણ અડવાણી પીએમ પદ માટેના યોગ્ય ઉમેદવાર છે. ગુજરાતમાં સ્વતંત્ર ચૂંટણી લડવા અંગેના જેડીયુના નિવેદનથી ભાજપને કોઇ ચિંતા નથી. આ અંગે હુસૈને જણાવ્યું કે 'છેલ્લે જ્યારે એનડીએ સત્તામાં હતું ત્યારે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ 2008માં જેડીયુએ સ્વતંત્ર રીતે ચૂંટણી લડી હતી. એવી રીતે બધાને પોતાની રીતે ચૂંટણી લડવાનો અધિકાર છે.'
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
