PWDIndia 16,000 કરોડનું રોકાણ કરીને 10 હજાર રોજગારી ઉભી કરશે
કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનને કારણે સમગ્ર દેશમાં લાખો લોકોએ તેમની નોકરી ગુમાવી છે. તેનો પુરાવો એ છે કે મે 2021માં બેરોજગારીનો દર 11.9 ટકા સુધી પહોંચી ગયો હતો. જો કે આગામી સમયમાં પરિસ્થિતિમાં સુધારો થવાની ધારણા છે.
નવી દિલ્હી : કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનને કારણે સમગ્ર દેશમાં લાખો લોકોએ તેમની નોકરી ગુમાવી છે. તેનો પુરાવો એ છે કે મે 2021માં બેરોજગારીનો દર 11.9 ટકા સુધી પહોંચી ગયો હતો. જો કે આગામી સમયમાં પરિસ્થિતિમાં સુધારો થવાની ધારણા છે. ગ્લોબલ કન્સલ્ટન્સી ફર્મ પ્રાઇસ વોટર હાઉસ કુપર્સ (PwC) ભારત આ દિશામાં એક કદમ ઉઠાવવા જઈ રહ્યું છે.

10,000 લોકોને નોકરી મળશે
- કંપનીએ બુધવારના રોજ જણાવ્યું હતું કે, કંપની આગામી પાંચ વર્ષમાં 1,600 કરોડ રૂપિયાનું રોકાણ કરશે, જેનાથી 10,000 વધારાની નોકરીઓ ઉભી થશે.
- PwC ઇન્ડિયાએ તેની નવી બિઝનેસ સ્ટ્રેટેજી 'ધ ન્યૂ ઇક્વેશન'ની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કંપની તેના કેમ્પસ હાયરિંગમાં આ જ સમયગાળામાં પાંચ ગણાથી વધુનો વધારો કરશે.
- કંપનીના પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે, હજારો ગ્રાહકો અને હિસ્સેદારો સાથે વાતચીત કર્યા બાદ નવી વ્યૂહરચના ઘડવામાં આવી છે.

ભારત શક્યતાઓથી ભરેલું છે
PwC ઇન્ડિયાએ કહ્યું, ભારત પાસે મજબૂત આર્થિક માળખું છે, તેની મોટી વસ્તીના લાભો અને નવા વિચારોને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ વિકલ્પો છે.
ભારતમાં PwCના પ્રમુખ સંજીવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે, અમારી નવી વ્યૂહરચના આપણને અને અમારા ગ્રાહકોને દેશના આર્થિક વિકાસને આગળ વધારવા માટે ઘરેલુ બજારની સંભાવનાનો ઉપયોગ કરવા અને મોટા પ્રમાણમાં સોસાયટી માટે વધુમાં વધુ તકો ઉભી કરવા સક્ષમ બનાવવામાં આવશે.

કંપની આ ક્ષેત્રોમાં રોકાણ કરશે
PwC આગામી પાંચ વર્ષમાં 1,600 કરોડ રૂપિયાનું રોકાણ કરવા અને 10,000થી વધુ વધારાની નોકરીઓનું સર્જન કરશે. રોકાણનો મોટો ભાગ ડિજિટલ, ક્લાઉડ, સાયબર, એનાલિટિક્સ અને ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રોમાં હશે. હાલમાં પેઢી ભારતમાં લગભગ 15,000 કર્મચારીઓ ધરાવે છે.
PwCએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં તેમને હાલની ટેકનોલોજીની આગેવાની હેઠળના ગઠબંધન પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ટેકનોલોજીના વિકલ્પો શોધવા તરફ કામ કરશે.












Click it and Unblock the Notifications
