અહીં પોલીસ વિભાગમાં ક્લાર્કના પદ પર ભરતી નીકળી, આવી રીતે અરજી કરો
અહીં પોલીસ વિભાગમાં ક્લાર્કના પદ પર ભરતી નીકળી, આવી રીતે અરજી કરો
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં રહેતા ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ છે. પશ્ચિમ બંગાળ પોલીસ નિયામકશ્રીની ઑફિસે ક્લાર્કના કેટલાય પદો પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. જેને લઈ સત્તાવાર જાહેરાત પણ જાહેર કરવામાં આવી છે. આ ભરતી ભવાની ભવન, કોલકાતા સ્થિત નિયામકશ્રીમાં ગ્રુપ સીમાં થશે. લોવર ડિવિઝન ક્લાર્કના પદની સંખ્યા 35 છે. આ ભરતી કરાર આધારિત થઈ રહી છે, જેની અવધી એક વર્ષની છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ wbpolice.gov.in પર જઈ અરજી કરી શકે છે.

ઉમેદવારોએ અરજી કરવા માટે વેબસાઈટ પર જઈ ફોર્મ ભરવાનું રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 2 ડિસેમ્બર 2020 છે. એટલે કે આ તારીખ બાદ કોઈપણ અરજી નહિ કરી શકે. ઉમેદવારોની ઉંમર 31 ડિસેમ્બર સુધી 64 વર્ષથી વધુ ના હોવી જોઈએ. જો કે રાજ્ય સરકારની સેવાથી નિવૃત્ત થયા હોય તેવા ઉમેદવારો જ અરજી કરી શકે છે. ઉમેદવારોને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે સાવધાની વરતવી, જો તેમાં કોઈ ભૂલ રહી ગઈ તો તેમની અરજી રદ્દ કરવામાં આવી શકે છે.
આની સાથે જ સત્તાવાર જાહેરાત પણ ધ્યાનથી વાંચી લેવી, જેમાં તમને આવશ્યક શૈક્ષણિક યોગ્યતા અને ઉંમર મર્યાદા સહિતની તમામ જાણકારી મળી જશે. આ સમાચારની નીચે જાહેરાત, અરજી કરવાની લિંક અને સત્તાવાર વેબસાઈટની લિંક આપેલી છે. ફોર્મ ભર્યા બાદ તમારે અહીં આપેલા એડ્રેસ (રજિસ્ટ્રાર, પશ્ચિમ બંગાળ પોલીસ, નિયામકશ્રી, ગ્રાઉન્ડ ફ્લોર, ભવાની ભવન, અલીપુર, કોલકાતા- 700027) પર મોકલવાની રહેશે.
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરોસત્તાવાર જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરોઅરજી ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ? -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ -
અમેરિકાએ ભારતને આપી ભેટ! આટલા દિવસો સુધી રશિયા પાસેથી ખરીદી શકશે તેલ, Hormuzનું ટેન્શન ખતમ







Click it and Unblock the Notifications
