શું ખરેખર સલમાન ખાને કેરળ માટે 12 કરોડ રૂપિયા દાન કર્યા?
સિને અભિનેતા સલમાન ખાન વિશે પણ કહેવાય છે કે તેમણે કેરળના પૂર પીડિતો માટે 12 કરોડ રૂપિયા દાન કર્યા છે.
કેરળ હાલમાં ભયંકર આપત્તિમાંથી પસાર થઈ રહ્યુ છે. ભારે વરસાદના કારણે આવેલા પૂરના કારણે કેરળ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયુ છે પરંતુ તેના માટે ભારતમાંથી ચારે તરફથી મદદ માટે હાથ ઉઠ્યા છે. સામાન્યથી ખાસ સુધી બધા લોકોએ કેરળવાસીઓને આર્થિક મદદ મોકલી છે. સિને અભિનેતા સલમાન ખાન વિશે પણ કહેવાય છે કે તેમણે કેરળના પૂર પીડિતો માટે 12 કરોડ રૂપિયા દાન કર્યા છે.

જાવેદ જાફરીએ સલમાન ખાનને બનાવ્યો હીરો
પરંતુ તે બાદ સલમાન ખાન વિશે ઘણી વાતો થવા લાગી, લોકોએ સલમાન ખાનને ઘણી દુઆઓ આપી, જો કે સલમાન ખાન કે તેમની ટીમ કે તેમના ઘર પરિવાર તરફથી આ બાબતે કોઈ અધિકૃત નિવેદન આવ્યુ નથી પરંતુ લોકોએ નિવેદનબાજી ચાલુ રહી. આ નિવેદનબાજી પર જાણીતા અભિનેતા અને જાણીતા ડાંસર જાવેદ જાફરીએ પણ સલમાન વિશે ટ્વિટ કર્યુ છે. ત્યારબાદ સલમાન ખાન અંગેની ચર્ચાઓએ વધુ જોર પકડ્યુ છે.
|
જાવેદ જાફરી થયા ટ્રોલ
જાવેદ જાફરીએ લખ્યુ કે સાંભળ્યુ છે કે સલમાન ખાને કેરળ માટે 12 કરોડ રૂપિયા દાન કર્યા છે. આ માણસ તો કંઈક અલગ જ છે, કેટલાની દુઆઓ લઈને ચાલી રહ્યા છે. ભાઈ ભગવાન તમારુ ભલુ કરે, પ્રેમ અને ઈજ્જત. જો કે આ ટ્વિટની થોડી વાર પછી જ જાવેદ જાફરીએ પોતાનું ટ્વિટ ડીલિટ કરી દીધુ અને એક નવુ ટ્વિટ કર્યુ કારણકે જાવેદ જાફરીને આ ટ્વિટ બાદ ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા હતા.
|
જાવેદ જાફરીએ કરી સ્પષ્ટતા
કેટલાક ટ્રોલર્સે તો કેરળના સીએમનું ટ્વિટ પણ તેમને મોકલ્યુ જેમાં બોલિવુડ સ્ટાર્સના દાન વિશે અધિકૃત જાણકારી આપવામાં આવી છે. આ ટ્વિટમાં સલમાન ખાનનું નામ ક્યાંય પણ નથી. નવુ ટ્વિટ કરતા જાવેદે લખ્યુ કે મે ટ્વિટ કર્યુ હતુ કે સલમાનના યોગદાન વિશે મે સાંભળ્યુ છે કારણકે અભિનેતાના ટ્રેક રેકોર્ડ જોતા સંભવ છે કે જ્યાં સુધી આ સમાચાર કન્ફર્મ ના થઈ જાય ત્યાં સુધી હું મારુ ટ્વિટ પાછુ લઉ છુ.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
