For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત સિંહના મોતને સહન ન કરી શક્યા તેમના ભાભી, અંતિમ સંસ્કાર વખતે તોડ્યો દમ

જે સમયે મુંબઈમાં સુશાંતની અંતિમ વિદાય થઈ રહી હતી એ વખતે બિહારના પૂર્ણિયાના મલડીહામાં સુધા દેવીનુ નિધન થઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

બૉલિવડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા માટે આખો દેશ શોકમાં છે. વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે સફળતાની બુલંદીઓ પર સુશાંત સિંહ રાજપૂતે આવુ પગલુ કેમ લીધુ. સુશાંતના મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા પરંતુ આ શોકમાં તેમના ભાભી સુધા દેવી સહન કરી શક્યા નહિ. સમાચાર મુજબ જે સમયે મુંબઈમાં સુશાંતની અંતિમ વિદાય થઈ રહી હતી એ વખતે બિહારના પૂર્ણિયાના મલડીહામાં સુધા દેવીનુ નિધન થઈ ગયુ. સુશાંતના મોત બાદ સુધી દેવીએ ખાવાપીવાનુ છોડી દીધુ હતુ. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતે રવિવારે મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

સુશાંત સિંહના પિતરાઈ ભાઈ હતા સુધા દેવી

સુશાંત સિંહના પિતરાઈ ભાઈ હતા સુધા દેવી

માહિતી મુજબ સુધા દેવી સુશાંત સિંહના પિતરાઈ ભાઈ અમરેન્દ્ર સિંહના પત્ની હતા. પરિવારજનોએ જણાવ્યુ કે છેલ્લા કેટલાક સમયથી તે બિમાર હતા. રવિવારે જેવા સુશાંત સિંહ રાજપૂતના મોતના સમાચાર આવ્યા ત્યારબાદથી તે વારંવાર બેભાન થઈ જતા હતા. સોમવારે સાંજે લગભગ પાંચ વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા. માહિતી મુજબ સુશાંતના મોતના સમાચાર સાંભળ્યા બાદ તે શોકમાં જતા રહ્યા હતા. ભાનમાં આવતા જ તે સુશાંત વિશે પૂછતા કે તે બરાબર છે કે નહિ. પછી ઘરમાં જ્યારે લોકોની ભીડ જોતા તો ફરીથી બેભાન થઈ જતા.

મુંબઈમાં સુશાંતના અંતિમ સંસ્કાર, શબ જોઈને હેબતાઈ ગયા પિતા

મુંબઈમાં સુશાંતના અંતિમ સંસ્કાર, શબ જોઈને હેબતાઈ ગયા પિતા

સોમવારે સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહ પટનાથી મુંબઈ ગયા જ્યાં દીકરીનુ શબ જોઈને તે ધ્રૂસકેને ધ્રૂસકે રડવા લાગ્યા. તેમની સાથે સુશાંતના પિતરાઈ ભાઈ તેમજ બિહારના છાતાપુરના ધારાસભ્ય નીરજ સિંહ બબલૂ સહિત અન્ય લોકોએ તેમને સંભાળ્યા. ત્યારબાદ સુશાંતના અંતિમ સંસ્કાર મુંબઈમાં થયા. આ દરમિયાન બિહારના પૂર્ણિયામાં સુશાંતા પિતરાઈ ભાઈ અમરેન્દ્ર સિંહના પત્ની સુધા દેવીનુ શોકમાં મોત થઈ ગયુ.

ડિપ્રેશનના એંગલની પણ તપાસ કરશે પોલિસ

ડિપ્રેશનના એંગલની પણ તપાસ કરશે પોલિસ

સુશાંતના સિંહ રાજપૂતના મોત મામલે નવો વળાંક આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જ્યાં આત્મહત્યાની વાત સામે આવી છે ત્યાં મીડિયા રિપોર્ટમાં તેમના ડિપ્રેશનના શિકાર હોવાની વાતો પણ કહેવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ડિપ્રેશનના એંગલની પણ તપાસ કરવાની વાત કરી છે.

પંચકમાં થયુ સુશાંત સિંહનુ મોત, જ્યોતિષ અનુસાર બૉલિવુડમાં થઈ શકે છે બીજા મોતપંચકમાં થયુ સુશાંત સિંહનુ મોત, જ્યોતિષ અનુસાર બૉલિવુડમાં થઈ શકે છે બીજા મોત

English summary
After Sushant Singh Rajpur’s death, His sister-in-law passes away.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X