આજે મેં મારો વહાલો મિત્ર ગુમાવી દીધો : અમિતાભ બચ્ચન
મુંબઈ, 13 જુલાઈ : બૉલીવુડના મહાન ખલનાયકોમાંના એક પ્રાણ સાહેબના નિધનથી સમગ્ર બૉલીવુડ દુઃખી છે. સૌ કોઈ પોતાનું દુઃખ પ્રકટ કરવામાં અસમર્થ બન્યાં છે. એક બાજુ લોકોએ પ્રાણના આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરી છે, તો સદીના મહાનાયક અમિતાભ બચ્ચને જણાવ્યું - આજે મેં બહેતરીન સહયોગી, વહાલો મિત્રો, મહાન અભિનેતા, વિચારશીલ માનવ અને એક સજ્જન વ્યક્તિ ગુમાવી દીધો છે.
અમિતાભ બચ્ચન કહે છે - પ્રાણ સાહેબ જેવો કોઈ નહોતો, નથી અને હશે પણ નહીં. બીજી બાજુ બૉલીવુડ કિંગ ખાન શાહરુખ ખાને ભારતીય સિનેમાના સૌથી મહાન ખલનાયક અને બહુમુખી પ્રતિભાના માલિક પ્રાણના નિધન પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું કે પ્રાણ હંમેશા પોતાના ફૅન્સના દિલમાં રહેશે.
નોંધનીય છે કે મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં શુક્રવારે રાત્રે છેલ્લા શ્વાસ લીધાં. તેઓ 93 વર્ષના હતાં. શોક વ્યક્ત કરતાં શાહરુખ ખાન ટ્વિટર પર લખે છે - એવી હસ્તી કે જે આપણા જીવન અને લાગણીને ઘડે છે. તેને આખરે દુનિયામાંથી કેમ જવું પડે છે? આપ કાયમ અમારા દિલોમાં રહેશે. અલ્લાહ તેમના આત્માને શાંતિ અર્પે.
પ્રાણ સાહેબનું અંતિમ સંસ્કાર થોડીક જ ક્ષણોમાં થવાનું છે.