'ધ કાશ્મીર ફાઈલ્સ'ને પ્રોપાગાન્ડા ગણાવવા પર અનુપમ ખેરે આપ્યુ રિએક્શન, કહ્યુ - ભગવાન એ ઈઝરાયેલીને સદબુદ્ધિ આપે
બૉલિવુડ કલાકાર અનુપમ ખેરે પણ પોતાની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ વિશે એક ટ્વિટ કર્યુ છે.
Anupam Kher On The Kashmir Files: ગોવામાં આયોજિત ભારતીય રાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના સોમવારે થયેલા સમાપન સમારંભમાં જ્યૂરી પ્રમુખ નદાવ લેપિડે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ પર આપેલા નિવેદનથી ઈન્ડસ્ટ્રીમાં હોબાળો મચી ગયો. વાસ્તવમાં, જ્યૂરીએ ધ કાશ્મીર ફાઈલ્સને પ્રોપાગાન્ડા અને અશ્લીલ મૂવી ગણાવીને ફિલ્મ ફેસ્ટીવલ માટે અયોગ્ય કહી. હવે આ બાબતને લઈને લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. બૉલિવુડ કલાકાર અનુપમ ખેરે પણ પોતાની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ વિશે એક ટ્વિટ કર્યુ છે.
જ્યૂરીએ કહ્યુ - કાશ્મીર ફાઈલ્સ એક પ્રોપાગાન્ડા
ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા નદાવ લેપિડે ઈવેન્ટના સમાપન સમારોહમાં કહ્યુ હતુ કે તેમને ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' પ્રોપાગાન્ડા લાગી છે. નદાવ લેપિડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ત્યારથી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગી છે. હવે આ ફિલ્મના કલાકારો અને નિર્માતાઓ તરફથી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે.
|
અનુપમ ખેરે કર્યુ આવુ ટ્વિટ
ફિલ્મ 'ધ કશ્મીર ફાઇલ્સ'ને પ્રોપગેન્ડા ગણાવવા પરઆ ફિલ્મના મુખ્ય કલાકારોમાંથી એક અનુપમ ખેરે ટ્વિટ કર્યુ છે. તેણે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યુ છે - જૂઠનુ કદ ભલે ગમે તેટલુ ઊંચુ કેમ ના હોય, સત્યના મુકાબલે તે હંમેશા નાનુ જ હોય છે. આ સિવાય અનુપમ ખેરે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની પોતાની તસવીર પણ શેર કરી છે.
|
અનુપમ ખેરે કહ્યુ - ભગવાન તેમને સદબુદ્ધિ આપે
અનુપમ ખેરે મંદિરમાં પૂજા કર્યા પછી બહાર આવતાં એએનઆઈ સાથે વાત કરી અને કહ્યુ- જો પ્રલય સાચો છે તો કાશ્મીરી પંડિતોનુ પલાયન પણ સાચુ છે. આ બધુ મને પૂર્વ આયોજિત લાગે છે કારણ કે આ પછી તરત જ ટૂલકીટ ગેંગ સક્રિય થઈ ગઈ હતી. ભગવાન તે ઇઝરાયેલી નિર્માતાને સદબુદ્ધિ આપે, જેથી તે સ્ટેજ પરથી હજારો અને લાખો લોકોની દુર્ઘટનાને પોતાનો એજન્ડા પૂરો કરવા માટે ઉપયોગ ન કરે.
જ્યૂરીના નિવદેનથી દુઃખી થયા દર્શન કુમાર
આ વિશે ઈટાઈમ્સ સાથે વાત કરતા ફિલ્મના અભિનેતા દર્શન કુમારે કહ્યુ- દરેક વ્યક્તિ જે જુએ છે અને સાંભળે છે તેના પર એક અભિપ્રાય આપે છે પરંતુ એ હકીકતને નકારી શકાય નહિ કે 'ધ કાશ્મીર ફાઇલ્સ' આવી જ એક ફિલ્મ છે જે એક સમુદાય કાશ્મીરી પંડિતોની દુર્દશા દર્શાવે છે. તે હજુ પણ આતંકવાદ સામે ન્યાય માટે લડી રહ્યો છે. અભિનેતા દર્શન કુમારે કહ્યુ- આ ફિલ્મ અશ્લીલતા પર આધારિત નથી પરંતુ એક મોટા સત્ય પર આધારિત છે.
|
ફિલ્મ નિર્માતા અશોક પંડિતે આપી આકરી પ્રતિક્રિયા
વળી, ફિલ્મ નિર્માતા અશોક પંડિતે જ્યુરીના નિવેદન પર તેમની આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ છે કે- તેમને આવા નિવેદનો સામે ઘણો વાંધો છે. મને ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' માટે નદાવ લેપિડ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ભાષા સામે સખત વાંધો છે. તેમણે આગળ કહ્યુ- 3 લાખ કાશ્મીરી પંડિતોના નરસંહારને દર્શાવવુ અશ્લીલ નથી પરંતુ હકીકત છે. હું એક ફિલ્મ નિર્માતા છુ અને એક કાશ્મીરી પંડિત તરીકે આતંકવાદનો ભોગ બનેલા લોકો પ્રત્યેના આ શરમજનક કૃત્યની નિંદા કરુ છુ.
2022ની સફળ ફિલ્મ બની ધ કાશ્મીર ફાઈલ્સ
મળતી માહિતી મુજબ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' આ વર્ષની શરૂઆતમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મના નિર્દેશક વિવેક અગ્નિહોત્રી હતા. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, દર્શન કુમાર અને અન્ય ઘણા કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મની કહાની 90ના દાયકામાં કાશ્મીરી પંડિતોના નરસંહારની કહાની છે. તે વર્ષ 2022ની સુપરહિટ ફિલ્મોમાંની એક સાબિત થઈ છે.