વિવાદીત નિવેદન બદલ બોમ્બે હાઇકોર્ટે સંજય રાઉતને લગાવી ફટકાર, કંગનાને પણ આપી સલાહ
બોમ્બે હાઇકોર્ટે કંગના રનોતના એક કેસની સુનાવણી કરી હતી. આ દરમિયાન હાઈકોર્ટે કંગનાની ઓફિસમાં BMCની કાર્યવાહીને ખોટી ગણાવી હતી, અને વળતર ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે કંગનાને તેના નિવેદનોમાં સંયમ રાખવાનું પણ કહ્
બોમ્બે હાઇકોર્ટે કંગના રનોતના એક કેસની સુનાવણી કરી હતી. આ દરમિયાન હાઈકોર્ટે કંગનાની ઓફિસમાં BMCની કાર્યવાહીને ખોટી ગણાવી હતી, અને વળતર ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે કંગનાને તેના નિવેદનોમાં સંયમ રાખવાનું પણ કહ્યું હતું. આ પછી કોર્ટે શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને પણ નિવદનો બદલ ઠપકો આપ્યો હતો.

કંગનાએ પીઓકે સાથે કરી હતી તુલના
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી કંગના મહારાષ્ટ્ર સરકાર અને શિવસેના પર હુમલો કર્યો હતો. આ દરમિયાન, BMC એ ગેરકાયદે બાંધકામોનું કારણ આપીને મુંબઈમાં કંગનાની ઓફિસનો અમુક ભાગ તોડી નાખ્યો હતો. જેના પર કંગનાએ મુંબઈની તુલના પીઓકે સાથે કરી હતી. આ પછી સંજય રાઉતે કંગના પર પણ હુમલો કર્યો હતો. તેમના માટે કેટલીક અપશબ્દોનો ઉપયોગ પણ કર્યો. જોકે, બાદમાં તેણે આ મામલે પોતાની ભૂલ સ્વીકારી હતી.

કોર્ટે શું કહ્યુ
શુક્રવારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે રાઉતના નિવેદનમાં લાગી રહ્યું છેકે તેઓ સાંસદની જેમ વર્તી રહ્યાં નહીં. તેમના વિવાદિત નિવેદન પછી તેમણે જે ખુલાસો આપ્યો તે પણ માન્ય નથી. તે જ સમયે, હાઈ કોર્ટે કંગના રનોતને કહ્યું હતું કે તેઓએ પણ સરકારને સલાહ આપતી વખતે સંયમ બતાવવો જોઈએ. વળી, કોર્ટ તેમણે કરેલી ટિપ્પણીથી સહમત નથી. કોર્ટે કંગનાને ભવિષ્યમાં આવા નિવેદનો ન આપવાની ચેતવણી આપી છે. જોકે કંગનાએ બીએમસી વિરુદ્ધ આ અરજી કરી હતી, પરંતુ સુનાવણી બાદ સંજય રાઉતને તેના પક્ષકાર બનાવવામાં આવ્યા હતા.

બાહુબળનો ઉપયોગ કરવાની મંજુરી નહી
સુનાવણી બાદ કોર્ટે કહ્યું કે બીએમસી દ્વારા કંગનાની ઓફિસમાં કરવામાં આવેલી કાર્યવાહી એ સંપૂર્ણ બદલાની ભાવનાથી કરાયેલ કાર્ય હતું. જેનો હેતુ અભિનેત્રીને નુકસાન પહોંચાડવાનો હતો. આવા કેસમાં અદાલતે આ ભાગ તોડી પાડવાનો આદેશ રદ કર્યો છે. હાઈકોર્ટના જણાવ્યા અનુસાર, તેઓ વહીવટને કોઈ પણ નાગરિક સામે બાહુ બળનો ઉપયોગ કરવાની મંજૂરી નહીં આપે. કોર્ટના આદેશ બાદ હવે બીએમસી કંગનાને નુકસાનની ભરપાઇ કરવી પડશે.
આ પણ વાંચો: સામનાને આપેલા ઇન્ટરવ્યુમાં ઉદ્ધવ ઠાકરેએ બીજેપીને આપી ચેતવણી, કહ્યું- હું શાંત અને સંયમી છુ, નપુંસક નહી
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
