કૅંસર એટલે કૅંસલ નહીં, છે તેનો ઇલાજ છે જ : મનીષા
મુંબઈ, 2 ઑક્ટોબર : કૅંસર સામે ઝઝૂમતાં લાખો લોકો માટે મંગળવારે સાંજે બૉલીવુડ અભિનેત્રી મનીષા કોઈરાલા દ્વારા કરાયેલ એક પ્રવચન સંજીવની બની ગયું. મનીષાએ બળપૂર્વક જણાવ્યું - જો અમે કરી શકતા હોઇએ, તો આપ પણ કરી શકો છો.

કૅંસર જેવી પ્રાણઘાતક બીમારી ઉપર વિજય મેળવનાર આ અબિનેત્રીએ તેવી ધારણાને અસ્વીકાર કરી નાંખ્યું કે કૅંસરનો કોઈ ઇલાજ નથી. મનીષાએ કૅંસરની સારવારની દર્દનાક પ્રક્રિયા તેમજ પોતાની પીડાદાયક ક્ષણો અંગે વાત કરી. તેમણે કૅંસર પ્રત્યે લોકોને જાગૃત કરવાનો નિર્ણય કર્યો છે.
મનીષા કોઈરાલા અહીં એક ફાઇવ સ્ટાર હોટેલમાં યોજાયેલ પ્રતિજ્ઞા, કૅંસર મિથ્સ એન્ડ રિયલિટી કાર્યક્રમ પ્રસંગે પોતાના અનુભવો શૅર કરી રહ્યા હતાં. કૅંસર પીડિત શબ્દને નાપસંદ કરનાર મનીષા કોઈરાલાને આ શબ્દ નિરીહ લાગે છે. તેઓ પોતાની જાતને કૅંસર યોદ્ધા ગણાવે છે. તેમણે જણાવ્યું - અહીં કૅંસરનો મતલબ મોત થાય છે. નહીં, એવું બિલ્કુલ નથી. હું એવા તમામ લોકોને જાણુ છું કે જેમને કૅંસર થયું, તેનું નિદાન થયું અને હાલમાં તેઓ સાજા છે. આવો આપણે દરેક પ્રકારના પડકારો સામે યુદ્ધ કરીએ. તેમણે સ્વસ્થ જીવન જીવવા તેમજ જૈવિક ભોજન લેવા ઉપર બળ આપ્યું.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
