અયોધ્યા ચુકાદોઃ ગૌહર ખાન બોલી, જો કોઈ ભડકાવવાની કોશિશ કરે તો...
અયોધ્યાના ઐતિહાસિક ચુકાદા પર પ્રતિક્રિયા આપતા અભિનેત્રી ગૌહર ખાને એક ખાસ ટ્વિટ કર્યુ છે કે જે ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે.
શનિવારે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યુ કે અયોધ્યામાં વિવાદત સ્થળ પર જ રામ મંદિર બનશે જ્યારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ 5 એકર જમીન અલગથી આપવામાં આવશે. જેના પર તે મસ્જિદ બનાવી શકે. રામ મંદિર નિર્માણ માટે કોર્ટે કેન્દ્ર સરકારે ત્રણ મહિનાની અંદર ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેંચે આ ચુકાદો સર્વસંમતિથી સંભળાવ્યો.
|
ગૌહર ખાને કર્યુ ખાસ ટ્વિટ
આ ઐતિહાસિક ચુકાદા પર પ્રતિક્રિયા આપતા અભિનેત્રી ગૌહર ખાને એક ખાસ ટ્વિટ કર્યુ છે કે જે ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે. વાસ્તવમાં ગૌહર ખાને પોતાના ટ્વિટર પર લખ્યુ હતુ કે ઈસ્લામની સુંદરતા એ છે કે તમે મુસ્લિમ હોવાના નાતે ક્યાંય પણ પ્રાર્થના કરી શકો છો, જ્યારે તમે મુસાફરી કરી રહ્યા હોય તો, રસ્તાના કિનારે બેસીને પણ પ્રાર્થના કરી શકો છો, તમારી પ્રાર્થના કોઈ પણ જમીન પર સીમિત નથી જ્યાં તમે નમાઝ પઢો છો તે તમારી સ્થિતિ અને પરિસ્થિતિ પર આધારિત હોય છે.
મોટા માણસ બનો, શાંતિ જાળવી રાખોઃ ગૌહર ખાન
ગૌહર ખાને આ ફોટોને પોસ્ટ કરીને લખ્યુ કે જે કોઈ પણ તમને ઉશ્કેરવાની કોશિશ કરે કે ચુકાદા માટે તમારી મજાક ઉડાવે તેના માટે આ પોસ્ટ છે.. મોટા માણસ બનો, શાંતિ જાળવી રાખો.
આ પણ વાંચોઃ લગ્ન બાદ મહિલાઓનો સેક્સ પ્રત્યે ઉત્સાહ ખતમ થવા લાગે છેઃ સર્વે
સુપ્રીમ કોર્ટના ચુકાદાની ખાસ વાતો
સુપ્રીમ કોર્ટે 2.77 એકરની આખી વિવાદિત જમીન મંદિર બનાવવા માટે આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રમે કહ્યુ છે કે તે મંદિર નિર્માણ માટે એક ટ્રસ્ટ બનાવે. સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્રને કહેવામાં આવ્યુ છે કે તે ત્રણ મહિનાની અંદર એક યોજના બનાવે જે મુજબ બોર્ડ ઑફ ટ્રસ્ટી નક્કી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં જ મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન આપવા માટે કહ્યુ, આ જમીન સુન્ની વકફ બોર્ડને આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે શિયા વકફ બોર્ડની અપીલ ફગાવી દીધી. સુપ્રીમ કોર્ટે કહ્યુ 1992માં બાબરી મસ્જિદને પાડવી અને 1949માં મૂર્તિઓ રાખવી કાયદાની વિરુદ્ધ હતુ.