અક્ષય કુમારે કહ્યું - 'ફિલ્મો ફ્લોપ થવા માટે આ માણસ જવાબદાર છે'
છેલ્લા કેટલાક સમયથી બોલીવુડ ફિલ્મો ખરાબ રીતે પીટાઈ રહી છે. હવે તેને બોયકોટની અસર કહેવી જોઈએ કે બાદ મેકર્સ જનતાની પસંદગી પ્રમાણે ફિલ્મો બનાવી શકતા નથી. બોલીવુડની ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ખાસ બતાવી શકતી નથી.
મુંબઈ, 4 સપ્ટેમ્બર : છેલ્લા કેટલાક સમયથી બોલીવુડ ફિલ્મો ખરાબ રીતે પીટાઈ રહી છે. હવે તેને બોયકોટની અસર કહેવી જોઈએ કે બાદ મેકર્સ જનતાની પસંદગી પ્રમાણે ફિલ્મો બનાવી શકતા નથી. બોલીવુડની ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ખાસ બતાવી શકતી નથી.
આટલું જ નહીં લોકોને મોટા સ્ટાર્સની ફિલ્મો જોવાનું પણ પસંદ નથી. તેનું જીવતું જાગતું ઉદાહરણ સુપરસ્ટાર અક્ષય કુમાર છે, જેની ફિલ્મ છેલ્લા કેટલાક સમયથી કંઈ ખાસ કમાલ બતાવી શકી નથી. હવે અક્ષયે તેની ફિલ્મોની નિષ્ફળતા માટે કપિલ શર્માને જવાબદાર ઠેરવ્યો છે.
ઉત્સાહિત છે ચાહકો
ફેન્સ કપિલ શર્માના શોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ચાહકો માટે એક સારા સમાચાર પણ છે કે, આ શો 10 સપ્ટેમ્બરથીદર્શકોમાં આવશે.
શોના નવા પ્રોમોમાં અક્ષય કુમાર જોવા મળશે, પરંતુ આ વખતે કપિલ શર્માના શોમાં આવતા અક્ષય કુમારે તેના પરફિલ્મો ફ્લોપ થવા બદલ જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો છે.
જોવા મળશે અક્ષય કુમાર
ઉલ્લેખનીય છે કે, કપિલ શર્મા શોના આગામી એપિસોડમાં અક્ષય કુમાર રકુલ પ્રીત સાથે જોવા મળવાનો છે. બંને સ્ટાર્સ તેમની ફિલ્મકથપુતલી નું પ્રમોશન કરતા જોવા મળશે.
અક્ષયે શું કહ્યું?
શોના પ્રોમોમાં અક્ષય અને રકુલ સ્ટેજ પર જોવા મળશે. કપિલ શર્મા અક્ષય કુમારને પ્રશ્ન પૂછે છે કે પાજી, તમે દરેક જન્મદિવસ પર એકવર્ષ નાના કેવી રીતે બનશો? તો અક્ષય કહે છે કે, આ માણસ દરેક વસ્તુ પર એટલી નજર રાખે છે. મારી ફિલ્મો પર, પૈસા પર નજર નાખેછે. હવે મારી કોઈ ફિલ્મો નથી ચાલતી.
'કથપુતલી' રિલીઝ થઈ
ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારે જ્યારે ઓટીટી પર અભિનેતાની ફિલ્મ 'કથપુતલી' રિલીઝ થઈ, ત્યારે તેના ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધાહતા.
અભિનેતાની છેલ્લી ફિલ્મ રક્ષાબંધન બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ બતાવી શકી ન હતી. અભિનેતાની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજસાથે પણ આવી જ સ્થિતિ બની હતી.
કપિલ શર્મા શોની વાપસી
બીજી તરફ કપિલ શર્માના શોની વાત કરવામાં આવે તો કપિલ તેના શોની ત્રીજી સિઝન સાથે પરત ફરી રહ્યો છે. આ વખતે ફેન્સ કપિલનાશોમાં ઘણા નવા ચહેરાઓ જોવાના છે. કપિલના શો માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.