કરણ જોહરની પાર્ટીમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ, 50થી વધુ લોકો સંક્રમિત
હાલમાં જ કરણ જોહરની ગ્રાન્ડ બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં બોલીવુડના લગભગ તમામ સ્ટાર્સે હાજરી આપી હતી અને હવે આ પાર્ટીને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.
હાલમાં જ કરણ જોહરની ગ્રાન્ડ બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં બોલીવુડના લગભગ તમામ સ્ટાર્સે હાજરી આપી હતી અને હવે આ પાર્ટીને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કરણની પાર્ટીમાં ફરી એકવાર કોરોના ફાટી નીકળ્યો છે અને 50 થી 55 લોકો કોરોના સંક્રમિત થયા છે.
50-55 લોકો થયા કોરોના સંક્રમિત
કરણ જોહરે તાજેતરમાં જ પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પાર્ટીમાં રિતિક રોશન, શાહરૂખ ખાન, કેટરિના કૈફ, ક્યારા અડવાણી,જ્હાનવી કપૂર, મલાઈકા અરોરા અને કરીના કપૂર ખાન જેવા તમામ સ્ટાર્સે હાજરી આપી હતી, પરંતુ હવે આ પાર્ટી સાથે જોડાયેલા એકમોટા સમાચાર સામે આવી રહ્યા છે.
બોલીવુડ હંગામાના એક રિપોર્ટ અનુસાર, કરણ જોહરની આ ભવ્ય પાર્ટીમાં ગેસ્ટ તરીકે આવેલા 50 થી55 લોકોને કોરોના સંક્રમિત થયા છે.
કાર્તિકને આ રીતે થયો કોરોના વિસ્ફોટ
બોલીવુડ હંગામાના આ રિપોર્ટ અનુસાર, આ સ્ટાર્સ નિંદાના ડરથી કોવિડ પોઝિટિવ હોવાનું જણાવી રહ્યા નથી. રિપોર્ટમાં દાવો કરવામાંઆવી રહ્યો છે કે, પાર્ટીમાં બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કરણ જોહરના ઘણા નજીકના મિત્રો કોવિડથી સંક્રમિત થયા છે.
જોકે, તેમાંથી મોટાભાગના તેમના કોવિડ પોઝિટિવ હોવાનો ખુલાસો નથી કરી રહ્યા. જોકે તે કહેવું મુશ્કેલ છે કે, આ ચેપ બાકીના સ્ટાર્સમાંકોના દ્વારા ફેલાયો છે, પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તે કાર્તિક આર્યન સાથે ફિલ્મનું પ્રમોશન કરી રહેલી અભિનેત્રી દ્વારા વાયરલથયો હતો.
આદિત્ય કોરોના સંક્રમિત
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં અક્ષય કુમાર, કાર્તિક આર્યન અને આદિત્ય રોય કપૂર જેવા સ્ટાર્સને કોરોના સંક્રમિત થયા છે અને તેઓએસોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી પણ આપી હતી. અક્ષય હવે સ્વસ્થ થઈને પાછો ફર્યો છે, પરંતુ કાર્તિક અને આદિત્ય હાલમાં હોમઆઇસોલેશનમાં છે.