Kangana Ranaut : કરણ જોહરના વીડિયો પર ભડકી કંગના, કહી દીધી આ વાત
Kangana Ranaut : ફિલ્મ નિર્દેશન વિવેક અગ્નિહોત્રી અને પટકથા લેખક અપૂર્વ અસરાની બાદ હવે કંગના રનૌતે કરણ જોહર પર નિશાન સાધ્યું હતું. પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રાફ અકાઉન્ટ પરથી કંગના રનૌતે એક સ્ટોરી શેર કરી હતી. જેમાં કરણ જોહર અનુષ્કા શર્મા અંગે વાત કરતા જોવા મળી રહ્યો છે.
આ એક જૂનો વીડિયો છે, જેમાં કરણ જોહર અનુષ્કા વિશે કહેતા જોવા મળી રહ્યો છે કે, કરન જોહર અનુષ્કાની કરિયરને બરબાદ કરવા માંગે છે.
વીડિયોમાં તે કહે છે કે, જ્યારે આદિત્ય ચોપરાએ તેને રબ ને બના દી જોડી માટે અનુષ્કાનો ફોટો બતાવ્યો, ત્યારે તેણે ડાયરેક્ટરને તેને કાસ્ટ ન કરવા માટે જણાવ્યું હતું. આ સમયે તેણે આદિત્યને જણાવ્યું હતું કે, તું પાગલ થઈ ગયો છે? તેને સાઇન કરવાની જરૂર નથી.
સોશિયલ મીડિયા પર કંગનાએ આ વીડિયો બાબતે પ્રહારો કર્યા છે. કરણનો વીડિયો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, ચાચા ચૌધરીનું આ જ કામ છે. આ પહેલા વિવેક અગ્નિહોત્રીએ પણ કરણના આ વીડિયો પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કર્યું હતું કે, કોઈનો એકમાત્ર શોખ કારકિર્દી બનાવવાનો અથવા તોડવાનો છે. જો બોલીવુડ ગટરમાં છે, તો તે પ્રતિભાશાળી બહારના લોકો સામે કેટલાક લોકોની ગંદી બેકરૂમ રાજનીતિને કારણે છે. વિવેકનું ટ્વીટ અપૂર્વ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો પર હતું.
કંગના રાઉત વર્કફ્રન્ટની વાત કરીએ, તો ધાકડ બાદ વર્તમાન દિવસોમાં ફિલ્મ ઈમરજન્સી લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં અભિનયની સાથે તે દિગ્દર્શનની કમાન પણ પોતે સંભાળી રહી છે.
કંગના ઈમરજન્સીમાં ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ સાથે ફિલ્મમાં અનુપમ ખેર, શ્રેયસ તલપડે અને સતીશ કૌશિશ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.