હવે કંગનાએ ઇન્સ્ટાગ્રામનો લીધો ઉધડો, કહી નાંખી આ મોટી વાત
બોલીવુ઼ડની ક્વીન કંગના રનૌત પોતાના કામ અને સુંદરતાની સાથે સાથે બફાટ માટે પણ જાણીતી છે. તે પોતાની વાત બેફિકરાઇથી બોલી દે છે.
બોલીવુ઼ડની ક્વીન કંગના રનૌત પોતાના કામ અને સુંદરતાની સાથે સાથે બફાટ માટે પણ જાણીતી છે. તે પોતાની વાત બેફિકરાઇથી બોલી દે છે. કંગના રનૌતને તેના આ અંદાજને કારણે દોઢ વર્ષ પહેલા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વીટરમાં બેન કરી દેવામાં આવી છે. હવે એલોન મસ્કના માલિક બન્યા બાદ ઘણા સમાચાર સામે આવ્યા છે કે, કંગના ટ્વીટર પર રિએન્ટ્રી કરશે. આ પહેલા કંગના રનૌતે ફોટો શેરિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામને લઇને પણ ઘણુ બધુ કહી નાંખ્યું છે.
ટ્વીટર પર પાછી આવી શકે છે કંગના!
જો તમે આનાથી અજાણ હોવ તો કહો કે, કંગના રનૌતને મે 2021માં ટ્વીટરના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સોશિયલ નેટવર્કિંગ સાઇટપરથી પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.
કંગનાનું ટ્વીટર એકાઉન્ટ કાયમ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. જ્યારથી એલોન મસ્કે ટ્વીટર પર કબ્જો કર્યો છે, એવા અહેવાલો છે કે, ટૂંક સમયમાં કંગના પણ આ સાઇટ પર પરત ફરી શકે છે.
અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામનો લીધો ઉધડો
કંગના રનૌત હજૂ ટ્વીટર પર પરત ફરી પણ નથી અને ત્યાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામનો ઉધડો લીધો છે.
ઉલ્લેખીય છે કે, થોડા દિવસો પહેલા કંગનાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું હતું - 'ડમ્બ ઈન્સ્ટાગ્રામ માત્ર તસવીરો વિશે છે, અમે અમારા વિચારોને લખીએ છીએ,તે એક જ દિવસમાં અદૃશ્ય થઈ જાય છે. તે બીજા બધાની જેમ અસ્થિર, આળસું વ્યક્તિ છે.
એવો એક વ્યક્તિ જે તેણે અગાઉ શું લખ્યું તે જોવા નથી માંગતો કારણ કે, તે પોતાના પોતાના શબ્દોમાં વિશ્વાસ કરી શકતો નથી. આવી સ્થિતિમાં એ લખેલું લખાણ ગાયબ થઈ જાય તો સારું.
જેઓ જે લખે છે તે બધું માને છે - કંગના
કંગનાએ આગળ લખ્યું કે, પણ એ લોકોનું શું, જેઓ જે લખે છે તે બધું માને છે. અમે એવા લોકો છીએ જેઓ અમને સાંભળનારાઓ માટેઅમારા શબ્દોનું દસ્તાવેજીકરણ કરવા માંગીએ છીએ, જેઓ અમરા શબ્દોથી સારી વાતચીત શરૂ કરે છે. આ એવા મિની બ્લોગ્સ છે, જેનોઉપયોગ કોઈ ચોક્કસ વિષયના વિકાસ માટે થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, કંગનાનું ટ્વીટર એકાઉન્ટ તેને ક્યારે પાછું મળી શકે તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. અભિનેત્રી પણ આફ્લાઈંગ ન્યૂઝને ઈન્સ્ટાગ્રામ પર ફરીથી શેર કરતી રહે છે.