' બેટે કો હાથ લગાને સે પહલે બાપ સે બાત કર' ડાયલૉગને વાનખેડે ગણાવ્યો સડક છાપ, કિંગખાન માટે કહી આ વાત
એનસીબીના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે ફરી એકવાર ચર્ચામાં છે. હકીકતમાં, જ્યારે ગૌરવ ઠાકુર શોમાં આવેલા સમીર વાનખેડેને શાહરૂખ ખાન સાથે જોડાયેલ એક સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે એવો જવાબ આપ્યો, જેને સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.
તમને જણાવી દઈએ કે સમીર વાનખેડેને પૂછવામાં આવ્યું હતું કે શું બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ના એક ડાયલોગમાં 'બેટાને સ્પર્શતા પહેલા પિતા સાથે વાત કરો' દ્વારા તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા'
ત્યારે સમીર વાનખેડે જણાવ્યુ હતુ કે, ' હું કોઈના વિશે કંઈ કહીને કોઈને પ્રખ્યાત કરવા નથી માગતો, હું ફિલ્મો જોતો નથી અને આ ડાયલોગ ખૂબ ચીપ છે' જ્યારે પૂછવામાં આવ્યું કે 'શું તેણે ફિલ્મ જોઈ છે?' તો તેણે કહ્યું, 'હું ફિલ્મો જોતો નથી અને આ ડાયલોગ ખૂબ ચીપ છે, આ મામલો હાઇકોર્ટમાં છે તેથી હું તેના પર ટિપ્પણી કરવા માંગતો નથી. આવી ભાષાનો ઉપયોગ બિલકુલ યોગ્ય નથી અને હું આવી બાબતો પર ટિપ્પણી કરવાનું પસંદ નહિ કરું.

સમીર વાનખેડે હતો ઓપરેશન હેડ
ક્રૂઝ ડ્રગ બસ્ટ કેસમાં આર્યન ખાન સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી તમને જણાવી દઈએ કે વર્ષ 2021માં કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ બસ્ટ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા જે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેમાં બોલિવૂડ કિંગ ખાન શાહરૂખ ખાનનો પુત્ર પણ સામેલ હતો. આર્યન ખાન પણ ત્યાં હતો. આ ઓપરેશનનો હેડ સમીર વાનખેડે હતો.
50 લાખની લાંચનો આરોપ
સમીર વાનખેડે પર ભ્રષ્ટાચારનો આરોપ હતો, જો કે આ કેસ પછી વાનખેડે પર જ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. તેમની સામે વર્ષ 2023માં ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો હતો. તેના પર એક અમીર પરિવાર પાસેથી 50 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે.
નવાબ મલિકે લગાવ્યો આરોપ
તમને જણાવી દઈએ કે તેમના પર આ આરોપ NCP નેતા નવાબ મલિકે લગાવ્યો હતો. આ પછી તેણે વાનખેડેને લઈને ઘણા ખુલાસા પણ કર્યા. તેણે કહ્યું હતું કે 'વાનખેડેએ સરકારી નોકરી મેળવવા માટે પોતાનો ધર્મ પણ બદલી નાખ્યો હતો, તે પૈસા અને પ્રસિદ્ધિ મેળવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.'
સત્ય ટૂંક સમયમાં સામે આવશે
વાનખેડે જો કે, વાનખેડેએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે 'આ બધુ માત્ર તેને બદનામ કરવા માટે કરવામાં આવ્યું છે, તેની સામે ઊંડું કાવતરું ઘડવામાં આવ્યું છે, જેમાં NCBના કેટલાક અધિકારીઓ પણ સામેલ છે. હા, મને માનનીય હાઈકોર્ટમાં પૂરો વિશ્વાસ છે, આશા છે કે ટૂંક સમયમાં સત્ય લોકો સામે આવશે.












Click it and Unblock the Notifications
