'સુહાગરાત' વિશે વાત કરીને ફસાઇ ગઇ આ અભિનેત્રી, બોલ્ડ સીન પર વકર્યો વિવાદ
સાઉથ એક્ટ્રેસ રચિતા રામ હાલના સમયમાં પોતાના એક નિવેદનને કારણે વિવાદોમાં સપડાઇ છે. કન્નડ અભિનેત્રી, જે તેની આગામી ફિલ્મ 'લવ યુ રચ્છુ' ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
બેંગ્લોર : સાઉથ એક્ટ્રેસ રચિતા રામ હાલના સમયમાં પોતાના એક નિવેદનને કારણે વિવાદોમાં સપડાઇ છે. કન્નડ અભિનેત્રી, જે તેની આગામી ફિલ્મ 'લવ યુ રચ્છુ' ના પ્રમોશનમાં વ્યસ્ત છે, તેણે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કંઈક એવું કહ્યું જેના કારણે હાલ ભારે હોબાળો મચી રહ્યો છે.
આ સાથે હવે તેની પાસેથી માફી માંગવાની માંગ પણ કરવામાં આવી રહી છે. અભિનેત્રીના નિવેદનથી નારાજ લોકો તેના પર પ્રતિબંધ લગાવવા માટે પણ અવાજ ઉઠાવી રહ્યા છે. આખરે અભિનેત્રી રચિતા રામે શું કહ્યું હતું, જેના બાદ આટલો મોટા વિવાદનો મધપૂડો છંછેડાયો?
'લવ યુ રચ્છુ'માં વાયરલ થઇ રહ્યો છે બોલ્ડ સીન
રચિતા રામ અને અભિનેતા અજય રાવની આગામી ફિલ્મ 'લવ યુ રચ્છુ'માં તેમના બોલ્ડ સીન સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયા છે.
ફિલ્મ રિલીઝ થવાનીછે, ત્યારે ફિલ્મની સ્ટારકાસ્ટ ફિલ્મના પ્રમોશનમાં જોરશોરથી વ્યસ્ત છે. હાલમાં જ ફિલ્મના પ્રમોશન માટે એક પ્રેસ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં રિપોર્ટરેઅભિનેત્રીને તેના બોલ્ડ સીન્સ અંગે પ્રશ્ન પૂછ્યો હતો.
તમે હનીમૂનમાં શું કર્યું?
પ્રખ્યાત કન્નડ અભિનેત્રી રચિતા રામ 'ડિમ્પલ ક્વીન' તરીકે જાણીતી છે. પત્રકારે તેને પૂછ્યું કે 'તેમના લગ્ન (સુહાગરાત)ની પહેલી રાતે તેણે શું કર્યું'.
આ સવાલ પરઅભિનેત્રીના જવાબે હવે કન્નડ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવી દીધો છે. અભિનેત્રીએ કંઈક આવું કહ્યું, જેના પછી વિવાદ ઉભો થયો છે.
ફિલ્મમાં પોતાના બોલ્ડ સીન અંગેસ્પષ્ટતા આપતાં તેણે કહ્યું કે, મેં એ જ કર્યું છે, જે સ્ક્રિપ્ટની ડિમાન્ડ હતી.
તેઓ રોમાંસ કરશે, નહીં?
અભિનેત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં હાજર પત્રકારોને પૂછ્યું, 'અહીં ઘણા લોકો એવા છે જેઓ પરિણીત છે. મારો કોઈને શરમાવાનો ઈરાદો નથી. હું તમને જ પૂછું છું કે, લોકોલગ્ન પછી શું કરે છે? તે રાત્રે તેઓ શું કરે છે?
આવી સ્થિતિમાં પોતાના જ સવાલનો જવાબ આપતા અભિનેત્રીએ કહ્યું કે, તેઓ રોમાન્સ કરશે ખરા? ફિલ્મમાં બરાબરએવું જ બતાવવામાં આવ્યું છે. મેં આ દ્રશ્યો કેમ કર્યા? આનું કારણ ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.
કન્નડ ક્રાંતિ દળે કરી પ્રતિબંધની માંગ
હવે એક્ટ્રેસના આ નિવેદનથી નારાજ કન્નડ ક્રાંતિ દળે એક્ટ્રેસ પર પ્રતિબંધ લગાવવાની માગણી કરી છે અને એક્ટ્રેસે માફી માંગવાની માંગ કરી છે.
કન્નડ ક્રાંતિ દળે માંગકરી હતી કે, અભિનેત્રીએ જાહેરમાં માફી માંગવી જોઈએ. આ સાથે કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સે તેના પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.
કન્નડ છબીને બદનામ કરતું નિવેદન
અહીં કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજસ્વી નાગલિંગસ્વામીએ અભિનેત્રીના નિવેદન પર સખત નારાજગી વ્યક્ત કરી છે.
આ સાથે આ નિવેદનમાં રાજ્યનીસંસ્કૃતિ અને રાજ્યની છબી બગાડવાનું કહેવામાં આવ્યું છે.