તાલિબાનના વિજયની ઉજવણી કરતા ભારતીય મુસ્લિમો પર રોષે ભરાયા નસીરુદ્દીન શાહે કહ્યું - 'આ ખતરનાક છે'
તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ આપણા દેશના મુસ્લિમોનો એક વર્ગ પણ ખૂબ જ ખુશ દેખાઇ રહ્યો છે, જેની બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ દ્વારા સખત નિંદા કરવામાં આવી છે. શાહે આવા લોકોને સીધો સવાલ કર્યો છે.
મુંબઈ : તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ આપણા દેશના મુસ્લિમોનો એક વર્ગ પણ ખૂબ જ ખુશ દેખાઇ રહ્યો છે, જેની બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ દ્વારા સખત નિંદા કરવામાં આવી છે. શાહે આવા લોકોને સીધો સવાલ કર્યો છે કે, જેઓ તાલિબાનની ખુશીમાં આનંદ સાથે ઉજવણી કરી રહ્યા છે, તેમને પોતાના ધર્મમાં સુધારો કરવા માંગે છે?

નસીરુદ્દીન શાહે સોશિયલ મીડિયા પર આ અંગેનો એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાન પર તાલિબાનનું નિયંત્રણ પાછું મેળવવું સમગ્ર વિશ્વમાં ચિંતાનો વિષય છે, પરંતુ ભારતીય મુસ્લિમોના કેટલાક વર્ગો દ્વારા તેની ઉજવણી કરવી એ પણ કંઇ ઓછું ખતરનાક નથી. આજે દરેક ભારતીય મુસ્લિમે પોતાની જાતને પૂછવું જોઈએ કે શું તેમને પોતાના ધર્મમાં ઈસ્લામ ઈચ્છે છે, અગાઉની જંગલીતા ઈચ્છે છે.
71 વર્ષીય નસીરુદ્દીન શાહે કહ્યું કે, 'હું હિન્દુસ્તાની મુસ્લિમ છું, જેમ મિર્ઝા ગાલિબે કહ્યું છે કે, અલ્લાહ મિયાં સાથે મારો સંબંધ ઘણો અલગ છે, મારે કોઇ રાજકીય ધર્મની જરૂર નથી. ભારતમાં ઇસ્લામ હંમેશા વિશ્વભરના ઇસ્લામથી અલગ રહ્યો છે. ખુદા એ સમય ક્યારેન લાવે કે, જ્યારે આપણે ઇસ્લામને ઓળખી પણ ન શકીએ. શાહનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર છે અને લોકો તેના પર કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સળગતા મુદ્દાઓ પર ખુલ્લેઆમ બોલનારા શાહ તેમના નિવેદનોને કારણે ઘણી વખત ટીકાઓનો સામનો કરતા રહે છે. થોડા સમય પહેલા એક વેબસાઈટ સાથે વાત કરતા નસીરુદ્દીન શાહે પીઢ અભિનેતા અનુપમ ખેરને જોકર કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, અનુપમ ખેર ઘણી વાતો કરે છે, પરંતુ તેને ગંભીરતાથી લેવાની જરૂર નથી.
જેના જવાબમાં અનુપમ ખેરે તેને યોગ્ય જવાબ આપતા કહ્યું કે, 'મેં તમારા વિશે ક્યારેય ખરાબ કશું કહ્યું નથી, પરંતુ હવે હું કહીશ કે, આટલું પ્રાપ્ત કર્યા બાદ પણ તમે આખી જિંદગી નિરાશામાં વિતાવી છે. જો તમે દિલીપ કુમાર સાહેબ, અમિતાભ બચ્ચન રાજેશ ખન્ના, શાહરુખ ખાન અને વિરાટ કોહલીની ટીકા કરો, મારો વિશ્વાસ કરી શકો છો તો, હું કહીં શકું છું કે યોગ્ય સ્થાને છું. શાહના આ નિવેદનની અનેક નેતાઓએ નિંદા પણ કરી હતી.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
