તાલિબાનના વિજયની ઉજવણી કરતા ભારતીય મુસ્લિમો પર રોષે ભરાયા નસીરુદ્દીન શાહે કહ્યું - 'આ ખતરનાક છે'
તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ આપણા દેશના મુસ્લિમોનો એક વર્ગ પણ ખૂબ જ ખુશ દેખાઇ રહ્યો છે, જેની બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ દ્વારા સખત નિંદા કરવામાં આવી છે. શાહે આવા લોકોને સીધો સવાલ કર્યો છે.
મુંબઈ : તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ આપણા દેશના મુસ્લિમોનો એક વર્ગ પણ ખૂબ જ ખુશ દેખાઇ રહ્યો છે, જેની બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ દ્વારા સખત નિંદા કરવામાં આવી છે. શાહે આવા લોકોને સીધો સવાલ કર્યો છે કે, જેઓ તાલિબાનની ખુશીમાં આનંદ સાથે ઉજવણી કરી રહ્યા છે, તેમને પોતાના ધર્મમાં સુધારો કરવા માંગે છે?

નસીરુદ્દીન શાહે સોશિયલ મીડિયા પર આ અંગેનો એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાન પર તાલિબાનનું નિયંત્રણ પાછું મેળવવું સમગ્ર વિશ્વમાં ચિંતાનો વિષય છે, પરંતુ ભારતીય મુસ્લિમોના કેટલાક વર્ગો દ્વારા તેની ઉજવણી કરવી એ પણ કંઇ ઓછું ખતરનાક નથી. આજે દરેક ભારતીય મુસ્લિમે પોતાની જાતને પૂછવું જોઈએ કે શું તેમને પોતાના ધર્મમાં ઈસ્લામ ઈચ્છે છે, અગાઉની જંગલીતા ઈચ્છે છે.
71 વર્ષીય નસીરુદ્દીન શાહે કહ્યું કે, 'હું હિન્દુસ્તાની મુસ્લિમ છું, જેમ મિર્ઝા ગાલિબે કહ્યું છે કે, અલ્લાહ મિયાં સાથે મારો સંબંધ ઘણો અલગ છે, મારે કોઇ રાજકીય ધર્મની જરૂર નથી. ભારતમાં ઇસ્લામ હંમેશા વિશ્વભરના ઇસ્લામથી અલગ રહ્યો છે. ખુદા એ સમય ક્યારેન લાવે કે, જ્યારે આપણે ઇસ્લામને ઓળખી પણ ન શકીએ. શાહનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર છે અને લોકો તેના પર કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સળગતા મુદ્દાઓ પર ખુલ્લેઆમ બોલનારા શાહ તેમના નિવેદનોને કારણે ઘણી વખત ટીકાઓનો સામનો કરતા રહે છે. થોડા સમય પહેલા એક વેબસાઈટ સાથે વાત કરતા નસીરુદ્દીન શાહે પીઢ અભિનેતા અનુપમ ખેરને જોકર કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, અનુપમ ખેર ઘણી વાતો કરે છે, પરંતુ તેને ગંભીરતાથી લેવાની જરૂર નથી.
જેના જવાબમાં અનુપમ ખેરે તેને યોગ્ય જવાબ આપતા કહ્યું કે, 'મેં તમારા વિશે ક્યારેય ખરાબ કશું કહ્યું નથી, પરંતુ હવે હું કહીશ કે, આટલું પ્રાપ્ત કર્યા બાદ પણ તમે આખી જિંદગી નિરાશામાં વિતાવી છે. જો તમે દિલીપ કુમાર સાહેબ, અમિતાભ બચ્ચન રાજેશ ખન્ના, શાહરુખ ખાન અને વિરાટ કોહલીની ટીકા કરો, મારો વિશ્વાસ કરી શકો છો તો, હું કહીં શકું છું કે યોગ્ય સ્થાને છું. શાહના આ નિવેદનની અનેક નેતાઓએ નિંદા પણ કરી હતી.












Click it and Unblock the Notifications
