અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે કંગના રનૌતને મળ્યુ આમંત્રણ
Kangana Ranaut Ram Mandir: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. અયોધ્યાના રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહ્યું છે. આ ઐતિહાસિક દિવસને યાદગાર બનાવવાના જોરદાર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ ખાસ અવસર પર બૉલિવુડની ઘણી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને રાજનેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. સાઉથના સુપરસ્ટાર રજનીકાંત, પ્રભાસથી લઈને બૉલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને એક્ટર રણબીર કપૂર સુધી એવી ઘણી જાણીતી હસ્તીઓ છે જેમના નામ આમંત્રણ લિસ્ટમાં સામેલ છે.

આ યાદીમાં હવે બૉલિવુડ અભિનેત્રી કંગના રનૌતનું નામ પણ સામેલ થઈ ગયું છે. કંગના રનૌતે પોતે કહ્યું છે કે તેને રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ મળ્યુ છે. તેણે તેની ઈન્સ્ટા સ્ટોરી પર આ અંગેનો એક વીડિયો પણ શેર કર્યો છે. કંગનાએ જણાવ્યું કે આખરે તેને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ મળી ગયુ છે.
તેની ઝલક શેર કરતી વખતે અભિનેત્રીએ 'રામ સિયા રામ' ગીત પણ ગાયું છે. તમને જણાવી દઈએ કે રામ મંદિરના ઉદ્ઘાટન માટેના આમંત્રણ પત્રની ઝલક એકદમ અદભૂત લાગી રહી છે. 14 પેજમાં છપાયેલા આ આમંત્રણ પત્રના પહેલા પેજ પર ભગવાન રામની તસવીર સ્પષ્ટ દેખાય છે.
રામ મંદિરના ઉદ્ઘાટનના આ ખાસ અવસર પર આમંત્રણને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. ગૂગલ પર એક સવાલ સતત સર્ચ કરવામાં આવી રહ્યો છે કે આ માટે કયા સેલેબ્સ અને પર્સનાલિટીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. બહુવિધ અહેવાલો અનુસાર, રામ મંદિર ટ્રસ્ટે 7000 લોકોને આમંત્રણ મોકલ્યા છે, જેમાં 3000 VIPનો સમાવેશ થાય છે.
રામ મંદિરના ઉદ્ઘાટન માટે અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અનુપમ ખેર, માધુરી દીક્ષિત, સની દેઓલ, ટાઈગર શ્રોફ, આયુષ્માન ખુરાના, અજય દેવગન, કંગના રનૌતને બોલાવવામાં આવ્યા છે. આ સિવાય બૉલિવુડના પ્રખ્યાત દિગ્દર્શકો મધુર ભંડારકર અને સંજય લીલા ભણસાલીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
સુપરસ્ટાર રજનીકાંતને આ ઐતિહાસિક દિવસે અયોધ્યા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય પ્રભાસ, ચિરંજીવી, મોહનલાલ, ધનુષ, યશ અને ઋષભ શેટ્ટી જેવા સાઉથના પ્રખ્યાત સ્ટાર્સને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
રામાનંદ સાગરની રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલની સાથે માતા સીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી દીપિકા ચિખલિયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય સચિન તેંડુલકર અને વિરાટ કોહલી સહિતના ભારતીય ક્રિકેટરોને પણ મોટા દિવસે આમંત્રણ આપવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, પીએમ નરેન્દ્ર મોદી રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા દરમિયાન ભાષણ આપશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
