કોણ છે લતા દીદીના ભાઈ હ્રદયનાથ મંગેશકર, ફિલ્મ જગતમાં લોકો કહે છે 'બાલાસાહેબ'
આવો, જાણીએ લતા મંગેશકરના ભાઈ હ્રદયનાથ વિશે...
મુંબઈઃ ભારતીય સિનેમાના સૌથી મહાન પાર્શ્વ ગાયકોમાંના એક ગણાતા લતા મંગેશકરનુ 92 વર્ષની વયે 6 ફેબ્રુઆરી, 2022ના રોજ નિધન થઈ ગયુ. મુંબઈના શિવાજી પાર્કમાં લતા મંગેશકરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમના ભાઈ હ્રદયનાથ મંગેશકરે સ્વર સામ્રાજ્ઞી લતા દીદીને મુખાગ્નિ આપી. લતા દીદી પોતાના ભાઈ-બહેનોને કેટલો પ્રેમ કરતા હતા તે કોઈનાથી છૂપુ નથી. તેમણે 13 વર્ષની ઉંમરે જ પોતાના ભાઈ-બહેનોનુ ધ્યાન રાખવાનુ શરુ કરી દીધુ હતુ. પરંતુ લતાજી પોતાના નાના ભાઈ હ્રદયનાથની ખૂબ નજીક હતા. લતાજીના ભાઈ હ્રદયનાથ મંગેશકરે જ્યારે પોતાની મોટી દીદીને અંતિમ વિદાય આપી ત્યારે તેમના ચહેરા પર દુઃખ અને આંખમાંથી આંસુ નહોતા અટકી રહ્યા. લતા હ્રદયનાથથી ઉંમરમાં 8 વર્ષ મોટા હતા. હ્રદયનાથ આશા ભોંસલેથી પણ 4 વર્ષ નાના છે. આવો, જાણીએ લતા મંગેશકરના ભાઈ હ્રદયનાથ વિશે...

કોણ છે હ્રદયનાથ મંગેશકર?
લતા મંગેશકર અને આશાના પગલે પર ચાલીને હ્રદયનાથ મંગેશકરે પણ સંગીત જગતમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. હ્રદયનાથ મંગેશકર ભારતીય સંગીતકાર છે. હ્રદયનાથ મંગેશકરને સંગીત અને ફિલ્મ જગતમાં બાલાસાહેબના નામથી ઓળખવામાં આવે છે. લતા અને આશા ઉપરાંત તેમની બીજા બે મોટી બહેન છે જેમના નામ ઉષા મંગેશકર અને મીના ખાદિકર છે. હ્રદયનાથ મંગેશકર ચાર બહેનોના એકમાત્ર ભાઈ છે. તેમના પિતાનુ નામ દીનાનાથ મંગેશકર છે. તેમના પિતા બ્રાહ્મણ સમાજથી છે અને તેમના માતા ગોમાંતક મરાઠા સમાજ સાથે સંબંધ ધરાવે છે.

હ્રદયનાથ મંગેશકરના પરિવાર વિશે જાણો
હ્રદયનાથ મંગેશકરે મરાઠી કૉમેડિયન દમુઆના માલવણકરની દીકરી ભારતી માલવંકર મંગેશકર સાથે લગ્ન કર્યા છે. તેમના બે દીકરા આદિનાથ અને વૈજનાથ અને એક દીકરી રાધા છે. 2009માં રાધાએ પોતાનુ પહેલુ આલબમ નવ માજા શામી લૉન્ચ કર્યુ હતુ. રાધાએ પોતાના પિતા હ્રદયનાથ મંગેશકર પાસેથી ટ્રેનિંગ લીધી છે અને વિવિધ સ્ટેજ શોમાં તેમની સાથે જાય છે.

હ્રદયનાથ મંગેશકરનુ સંગીત કરિયર
હ્રદયનાથે પોતાના સંગીત કરિયરની શરુઆત 1955માં મરાઠી ફિલ્મ આકાશ ગંગાથી કરી હતી. ત્યારથી તેમણે મરાઠી ફિલ્મો જેવી કે સંસાર, ચાની, હા ખેલ સવલ્યંચા, જાનકી, જૈત રે જૈત, ઉમ્બર્થા અને નિવડંગ અને અમુક બૉલિવુડ ફિલ્મોમાં પણ સંગીત આપ્યુ છે. હ્રદયનથ પોતાના કામ માટે ઘણા સિલેક્ટીવ રહે છે. તેમણે મરાઠી અને હિંદીમાં એ જ ગીતો તૈયાર કર્યા છે જે તેમના સારા લાગ્યા છે. વિનાયક દામોદર સાવરકરની કવિતા સાગર પ્રાણ તલામલાની તેમની રચનાનુ ઉદાહરણ છે. તેમનો 1982નો આલબમ જ્ઞાનેશ્વર મૌલી ઘણો ચર્ચાઓમાં રહ્યો.

હ્રદયનાથ મંગેશકરની દૂરદર્શનથી લઈને પદ્મશ્રી સુધીની સફર
હ્રદયનાથે દૂરદર્શનના સંગીત નાટક ફૂલવંતી માટે પણ સંગીત આપ્યુ છે. તેમણે લોકગીતોની રચના પણ કરી છે. ફિલ્મ જૈત રે જૈત માટે તેમની સંગીત તેમની કલાનુ સૌથી ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેમની સૌથી લોકપ્રિય રચનાઓમાંથી એક મરાઠી ફિલ્મ નિવડુંગની રચના છે. હ્રદયનાથ ઉસ્તાદ આમિક ખાનના છાત્ર પણ રહી ચૂક્યા છે. હ્રદયનાથ મંગેશકરે પોતાના આખા કરિયરમાં ઘણા પુરસ્કાર મેળવ્યા છે. તેમને રાષ્ટ્રીય પુરસ્કાર, મહારાષ્ટ્ર રાજ્યનો લતા મંગેશકર પુરસ્કાર અને સર્વશ્રેષ્ઠ ગાયક અને સંગીત નિર્દેશક/સંગીતકાર માટે સાત મહારાષ્ટ્ર રાજ્ય પુરસ્કાર મળ્યા છે. તેમને ભીમસેન જોશી અને જસરાજના હાથે મહારાષ્ટ્રના લોકો દ્વારા પંડિતની ઉપાધિથી સમ્માનિત કરવામાં આવ્યા. શંકરાચાર્યએ તેમને ભાવ ગંધર્વની ઉપાધિ પ્રદાન કરી છે. તેમને 2009માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

2009માં શિવસેનામાં શામેલ થયા હ્રદયનાથ મંગેશકર
હ્રદયનાથ મંગેશકર કવિ-સંત મીરાની કવિતાઓ અને ગીતોની વિશેષતાવાળા બે સંપૂર્ણ આલબમોની રચના અને રિલીઝ કરતા પહેલા ભારતીય સંગીતકાર પણ છે. તેમણે હાલમાં જ મીરા સૂર કબીરા નામના એક આલબમની પણ રચના કરી છે. જેમાં મીરા, કબીર અને સૂરદાસના કાર્યોની વિશેષતા છે. તેમણે ગાલિબની ગઝલોની વિશેષતાવાળો એક આલબમ પણ બનાવ્યો છે. જેની શીર્ષક ગાલિબ હતુ અને જેને લતા મંગેશકરે ગાયુ હતુ. શાંતા શેલ્કે અને સુરેશ ભટ જેવા પ્રસિદ્ધ મરાઠી કવિઓ સાથે તેમના સહયોગે બેજોડ લોકપ્રિયતાના ઘણા મરાઠી ક્લાસિક ગીતો તૈયાર કર્યા છે. હ્રદયનાથ મંગેશકર 2009માં રાજકીય દળ શિવસેનામાં શામેલ થયા હતા.

લતા દીદીને માનતા હતા પોતાની મેન્ટોર
ફિલ્મફેર સાથે વાત કરીને સંગીત નિર્દેશક હ્રદયનાથ મંગેશકરે કહ્યુ હતુ કે લતા દીદીને પોતાના મેન્ટોર માને છે. હ્રદયનાથ મંગેશકરે કહ્યુ હતુ કે તેમણે પોતાના ગુરુઓ પાસેથી સંગીત શીખ્યુ પરંતુ સ્વાભિમાનની રક્ષા કેવી રીતે કરવી, અભિમાન અને અહંકારને કેવી રીતે મારવો, આ બધુ તેમણે પોતાની બહેન પાસેથી શીખ્યુ છે. તેમણે આગળ ખુલાસો કર્યો કે તેમણે આ બધા વર્ષોમાં તેમને નજીકથી જોયા છે અને જો કે તે પોતાના કરિયરના શિખર પર હતા. લતાજી હજુ પણ માનતા હતા કે તેમણે કંઈ પણ મેળવ્યુ નથી. તેમણે અનુભવ્યુ કે આ એ ઉર્ઝા છે જેણે આ બધુ સંભવ બનાવ્યુ છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો









Click it and Unblock the Notifications
