પ્રસિદ્ધ ગાયક મન્ના ડેની હાલત હજીય ગંભીર
બેંગલોર, 10 જૂન : ફિલ્મી દુનિયાના મહાન ફનકારોમાંના એક મન્ના ડેની હાલત ખૂબ જ ગંભીર છે. તેમને બેંગલોરની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જોકે તેમની હાલત ગંભીર જરૂર છે, પણ સ્થિર છે. તેમને છાતીમાં ઇન્ફેક્શનની ફરિયાદ છે કે જેથી તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.
ગત 1લી મેના રોજ 94મો જન્મ દિવસ ઉજવનાર મન્ના ડે છેલ્લા કેટલાંક વખતથી બીમાર છે. તેમની સારવાર બેંગલોર ખાતે જ ચાલી રહી છે. મન્ના ડે હાલ પોતાના પુત્રી સાથે બેંગલોર ખાતે જ રહે છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બૅનર્જી ગત 1લી મેના રોજ મન્ના ડેના જન્મ દિવસે તેમના ઘરે ગયા હતાં. મમતાએ મન્ના ડે સાથે મુલાકાત કરી હતી અને તેમને વિશેષ મહા-સંગીત સમ્માન વડે સમ્માનિત કર્યા હતાં. હિન્દી અને બંગાળી સહિત અનેક ભાષાઓમાં 3500થી વધુ ગીતો ગાનાર મન્ના ડે વર્ષ 207માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનાયા હતાં. તેમના કંઠે ગવાયેલ ગીતોમાં ‘ઝિંદગી કૈસી હૈ પહેલી..., લાગા ચુનરી મેં દાગ... ઇક ચતુર નાર... કસમેં વાદે પ્યાર વફા સબ... અને ઓ મેરી જોહરાજબીં...'નો સમાવેશ થાય છે. આજે પણ લોકો આ ગીત ખૂબ જ લગાવ સાથે સાંભળે છે.
ગત 1લી મેના રોજ મન્ના ડેના જન્મ દિવસે મમતી બૅનર્જી બોલ્યા હતાં કે મન્ના ડેના અવાજમાં જાદુ છે કે જે દરેકમાં નથી હોતું. સંગીતના આ મહાન ઉપાસક જલ્દીથી જલ્દી સાજા થઈ જાય. વનઇન્ડિયા પરિવાર પણ આવી જ શુભેચ્છાઓ પાઠવે છે.