OSO : મનોજ કુમારે શાહરુખ વિરુદ્ધ કેસ દાખલ કર્યો
મુંબઈ, 2 એપ્રિલ : બૉલીવુડના દેશપ્રેમી એક્ટર મનોજ કુમારે આજે કિંગ ખાન શાહરુખ ખાન અને તેમની કમ્પની ઇરોઝ કમ્પની સામે કેસ દાખલ કર્યો છે. મનોજ કુમારે શાહરુખ વિરુદ્ધ વિશ્વાસઘાત તથા બદનક્શીનો કેસ દાખલ કર્યો છે.
મનોજ કમારની ફરિયાદ છે કે શાહરુખ ખાન અને ફરાહ ખાને પોતાની ફિલ્મ ઓમ શાંતિ ઓમ જાપાનમાં તેમના સીન્સ કાપ્યાં વગર રિલીઝ કરી દીધી છે, જ્યારે મનોજ કુમારે ભારતમાં ફિલ્મ રિલીઝ થઈ, ત્યારે તે સીન્સ હટાવવા કહ્યુ હતું કે જેમાં શાહરુખ અને શ્રેયસ તળપદે મનોજ કુમારની એક્ટિંગની મજાક ઉડાવી છે. શાહરુખ તે વખતે તો સીન્સ હટાવી દીધા હતા, પરંતુ તાજેતરમાં જાપનામાં ઓમ શાંતિ ઓમ રિલીઝ કરાઈ કે જેમાં તે તમામ સીન્સ મોજૂદ હતાં.
મનોજ કુમારના વકીલે જણાવ્યું કે મનોજ કુમાર આ બાબતથી ખૂબ જ દુઃખી છે, તો બીજી બાજુ મનોજ કુમારે જણાવ્યું કે શાહરુખ ખાને મારી પીઠમાં છરો ભોંક્યો છે. મનોજ કુમાર ફિલ્મના નિર્માતા ફરાહ ખાન સામે પણ ખૂબ જ નારાજ છે. મનોજનું કહેવું છે કે ફરાહ ખાને ફિલ્મ જાપાનમાં રિલીઝ થશે, તે બાબત છુપાવી છે.