For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OSO : મનોજ કુમારે શાહરુખ વિરુદ્ધ કેસ દાખલ કર્યો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 2 એપ્રિલ : બૉલીવુડના દેશપ્રેમી એક્ટર મનોજ કુમારે આજે કિંગ ખાન શાહરુખ ખાન અને તેમની કમ્પની ઇરોઝ કમ્પની સામે કેસ દાખલ કર્યો છે. મનોજ કુમારે શાહરુખ વિરુદ્ધ વિશ્વાસઘાત તથા બદનક્શીનો કેસ દાખલ કર્યો છે.

shahrukh-manoj

મનોજ કમારની ફરિયાદ છે કે શાહરુખ ખાન અને ફરાહ ખાને પોતાની ફિલ્મ ઓમ શાંતિ ઓમ જાપાનમાં તેમના સીન્સ કાપ્યાં વગર રિલીઝ કરી દીધી છે, જ્યારે મનોજ કુમારે ભારતમાં ફિલ્મ રિલીઝ થઈ, ત્યારે તે સીન્સ હટાવવા કહ્યુ હતું કે જેમાં શાહરુખ અને શ્રેયસ તળપદે મનોજ કુમારની એક્ટિંગની મજાક ઉડાવી છે. શાહરુખ તે વખતે તો સીન્સ હટાવી દીધા હતા, પરંતુ તાજેતરમાં જાપનામાં ઓમ શાંતિ ઓમ રિલીઝ કરાઈ કે જેમાં તે તમામ સીન્સ મોજૂદ હતાં.

મનોજ કુમારના વકીલે જણાવ્યું કે મનોજ કુમાર આ બાબતથી ખૂબ જ દુઃખી છે, તો બીજી બાજુ મનોજ કુમારે જણાવ્યું કે શાહરુખ ખાને મારી પીઠમાં છરો ભોંક્યો છે. મનોજ કુમાર ફિલ્મના નિર્માતા ફરાહ ખાન સામે પણ ખૂબ જ નારાજ છે. મનોજનું કહેવું છે કે ફરાહ ખાને ફિલ્મ જાપાનમાં રિલીઝ થશે, તે બાબત છુપાવી છે.

English summary
Manoj Kumar filed case against Shahrukh Khan and Eros company.Manoj Kumar complained that Shahrukh Khan has released his film Om Shanti Om in Japan without deleting those scenes in which he made fun of Manoj.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X