મૌસમી ચેટર્જીના જમાઈએ કર્યો ખુલાસો, ‘ના દીકરીના અંતિમ સંસ્કારમાં આવ્યા ના તેરમીની પૂજામાં'
અભિનેત્રી મૌસમી ચેટર્જી પર તેમના જમાઈએ ઘણા આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યુ કે તે પોતાની દીકરીના નિધન બાદ ના તો તેના અંતિમ સંસ્કારમાં શામેલ થયા અને ના તેરમીની પૂજા માટે આવ્યા.
અભિનેત્રી મૌસમી ચેટર્જી પર તેમના જમાઈએ ઘણા આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યુ કે તે પોતાની દીકરીના નિધન બાદ ના તો તેના અંતિમ સંસ્કારમાં શામેલ થયા અને ના તેરમીની પૂજા માટે આવ્યા. તમને જણાવી દઈએ કે મૌસમી ચેટર્જીની દીકરી પાયલનુ નિધન 13 ડિસેમ્બરે લાંબી બિમારી બાદ થઈ ગયુ હતુ. તે 45 વર્ષની હતી. હવે પાયલના નિધન બાદ તેના પતિ ડિક્કી સિન્હાએ અભિનેત્રી વિશે આ વાતો કહી છે.

તેરમીની પૂજામાં શામેલ ન થઈ મૌસમી
સ્પૉટબૉય સાથે વાતચીતમાં ડિક્કીએ કહ્યુ કે અભિનેત્રીએ તેરમીની પૂજામાં શામેલ ન થવા અંગે પહેલેથી જ જણાવી દીધુ હતુ. મૌસમી ચેટર્જીના પતિ અને તેમની નાની દીકરી મેઘાને પણ તેમના ન આવવાથી વિચિત્ર લાગી રહ્યુ હતુ. ડિક્કી સિન્હાએ કહ્યુ, ‘હું વાસ્તવમાં આવા લોકોની પરવા ન કરી શકુ. હું જેટલુ કરી શકતો હતો કર્યુ. મે તેના ઈલાજમાં બહુ ખર્ચો કર્યો. હું મારી બહેનના લગ્નમાં કોલકત્તામાં શામેલ ન થઈ શક્યો. મે એ બધુ કર્યો જે કરી શકતો હતો. જો કે નસીબને કંઈક બીજુ જ મંજૂર હતુ.'

દીકરીનો ચહેરો પણ ન જોયો
ડિક્કીએ એ પણ કહ્યુ કે પાયલના નિધન બાદ મૌસમીએ પોતાની દીકરીનો ચહેરો પણ ન જોયો. ના તે અંતિમ સંસ્કારમાં શામેલ થયા. તમને જણાવી દઈએ કે ડિક્કી અને પાયલના લગ્ન વર્ષ 2010માં થયા હતા. પાયલ ડાયાબિટીઝથી પીડિત હતી અને તે બે વર્ષ સુધી કોમામાં પણ રહી હતી. સાથે જ મૌસમી ચેટર્જીએ તેના નિધન બાદ કહ્યુ હતુ કે તે પાયલની હેલ્થને અવગણવા અને તેની દવાઓના બિલ ન ભરવા માટે ડિક્કી અને તેના પરિવાર સામે કેસ કરશે.

દીકરીને હોસ્પિટલમાં જોવા ન આવી
આ અંગે ડિક્કીનુ કહેવુ છે કે પાયલ બિમાર હતી અને ડૉક્ટરોએ અમને તેની ગંભીર હાલત વિશે જણાવી દીધુ હતુ પરંતુ આ દરમિયાન ક્યારેય મૌસમી પોતાની દીકરીને હોસ્પિટલમાં જોવા નથી આવી. જ્યારે તેના પતિ અને દીકરી ઘણીવાર હોસ્પિટલ આવતા હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
