નુસરત જહાંએ લગ્નને લઈને ચુપ્પી તોડી, આ મોટી વાત કહી!
નવી દિલ્હી, 11 નવેમ્બર : તૃણમૂલ કોંગ્રેસના સાંસદ નુસરત જહાંએ 19 જૂન 2019 ના રોજ તુર્કીમાં નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. એક વર્ષ પછી નવેમ્બર 2020માં બંને અલગ થઈ ગયા.
નવી દિલ્હી, 11 નવેમ્બર : તૃણમૂલ કોંગ્રેસના સાંસદ નુસરત જહાંએ 19 જૂન 2019 ના રોજ તુર્કીમાં નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. એક વર્ષ પછી નવેમ્બર 2020માં બંને અલગ થઈ ગયા. નુસરતે દાવો કર્યો છે કે નિખિલ સાથેના તેના લગ્ન ભારતીય કાયદા હેઠળ માન્ય નહોતા, પરંતુ ચૂંટણીના સોગંદનામામાં તેણે પોતાને પરિણીત હોવાનું જાહેર કર્યું હતું. આ સ્થિતિમાં તેના લગ્નને લઈને મોટો વિવાદ થયો હતો. હવે એક ઈન્ટરવ્યુ દરમિયાન હવે તેને આ મુદ્દે ખુલીને વાત કરી છે.
નુસરતે કોઈનું નામ નથી લીધુ
ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં નુસરતે કહ્યું કે, તેને મારા લગ્ન માટે પૈસા ચૂકવ્યા નથી, તેણે હોટેલનું બિલ પણ ચૂકવ્યું નથી. મારે તેને કંઈ કહેવાની જરૂર નથી, હું પ્રમાણિક છું. મને દુનિયા સમક્ષ ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી, પરંતુ હવે મેં બધું સાફ કરી દીધું છે. જો કે નુસરતે કોઈનું નામ લીધું ન હતું, પરંતુ તેણીએ કહ્યું કે અન્યને દોષી ઠેરવવા અથવા અન્યને ખરાબ દેખાડવા સરળ છે. તે દાવા સાથે કહી શકે છે કે તેણે સમગ્ર વિવાદમાં કોઈને નીચા નથી દેખાડ્યા.
રાજકારણ પર આ વાત કહી
રાજનીતિ પર વાત કરતી વખતે નુસરતે કહ્યું કે તે, નવેમ્બરમાં સંસદના શિયાળુ સત્રમાં ભાગ લેશે. તાજેતરમાં જ તેની મિત્ર અને અભિનેત્રી શ્રાબંતી ચેટર્જીએ ભાજપ છોડી દીધું હતું, જેના પર નુસરતે કહ્યું કે તે ક્યારેય કોઈને રાજકીય સલાહ નહીં આપે. ખાસ કરીને તે શ્રાબંતીને કોઈ સલાહ આપતી નથી, કારણ કે તે તેને રાજકીય ઉથલપાથલ વિશે કંઈ કહેતી નથી.
યશ બાળકના પિતા છે
જ્યારે નુસરત નિખિલથી અલગ થઈ ત્યારે તે ગર્ભવતી હતી. બાળકના જન્મ બાદ તેના પિતાના નામ પર સવાલો ઉભા થયા હતા. જો કે, બર્થ સર્ટિફિકેટમાં નુસરતના પિતા તરીકે યશ દાસગુપ્તાનું નામ લખવામાં આવ્યું છે. બંને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં પણ સાથે જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંને જન્મ પ્રમાણપત્રને લઈને ત્યાં ગયા હતા.