For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુન્ની-શીલા કરતાં ઘણું આગળ મૌલા મેરે મૌલા..

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 6 નવેમ્બર : એક બાજુ ધડ-માથા વગરના ગીતોની બોલબાલા છે, તો બીજી બાજુ બૉલીવુડમાં એવા લોકો પણ છે કે જેમણે સંગીત અને તેના આત્માને પોતાના સુરો તેમજ સાધના વડે જીવંત રાખ્યો છે. તેમાંના જ એક ગાયક-સંગીતકાર છે રૂપ કુમાર રાઠોડ કે જેમનું કહેવું છે કે સંગીત એક પૂજા છે. રાઠોડ માને છે કે શ્રોતા અને દર્શકો ક્યારેય આયટમ સૉંગ્સને નથી પૂછતાં. તેમનું કહેવું છે કે મધુર સંગીત વધુ પ્રભાવ છોડે છે.

roopkumarrathod
તાજેતરમાં જ સૂફી સલામ ફિલ્મ માટે ગીતના રેકૉર્ડિંગ દરમિયાન રાઠોડે જણાવ્યું - મારા ગીત ‘મૌલા મેરે મૌલા...'ને યુટ્યુબ ઉપર 1 કરોડ 20 લાખ લોકોએ જોયું. તે મુન્ની બદનામ... અને શીલા કી જવાની... કરતાં ઘણું આગળ છે. આ ગીતો આવું ન કરી શકે. તેમણે જણાવ્યું - શ્રોતાઓ-દર્શકો સારી વસ્તુ માંગે છે. તેઓ ચોલી કે પીછે...ની માંગ નથી કરતાં. તે તો શ્રોતાઓને આપવામાં આવ્યું, એટલે તેમણે સાંભળ્યું. ચોલી કે પીછે... ના સમયમાં જ એક લડકી કો દેખા... ગીત પણ આવ્યુ હતું અને તે આયટમ સૉંગ કરતાં વધુ લોકપ્રિય હતું. તેથી સારી વસ્તુઓ હંમેશા પ્રભાવ છોડે છે.

રૂપ કુમાર રાઠોડે જણાવ્યું - આયટમ સૉંગ ટીઆરપી ચમકાવવા તથા પ્રચાર માટે તો બરાબર છે, પણ આપને કેટલા આયટમ સૉંગ યાદ છે. માત્ર શીલા કી જવાની... અને મુન્ની બદનામ...? આ આપણી સંસ્કૃતિ નથી. સૂફી અને શાસ્ત્રીય સંગીત આપણી સંસ્કૃતિ છે. આપણે તેને બચાવવું જોઇએ. રૂપ કુમાર રાઠોડ સંદેશે આતે હૈં..., મૌલા મેરે મૌલા..., તુઝમેં રબ દિખતા હૈ... જેવા ગીતો માટે જાણીતા છે.

English summary
Singer-composer Roop Kumar Rathod believes the listeners and audience never ask for item songs and it is the melodious numbers that leave a bigger impact than the former.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X