હનીમૂન પર નહીં જાય પરિણીતી અને રાઘવ ચઢ્ઢા, શું છે કારણ?
બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને AAP પાર્ટીના રાજનેતા રાઘવ ચઢ્ઢા અત્યારે હેડલાઈન્સમાં છે. આ કપલે 24મી સપ્ટેમ્બર 2023ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં તેમના સપનાના લગ્ન કર્યા હતા.
ઉદયપુરની લીલા પેલેસ હોટલમાં થયેલા આ લગ્નની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. એવા સમાચાર છે કે પરિણીતી-રાઘવનું ભવ્ય રિસેપ્શન 4 ઓક્ટોબર 2023ના રોજ મુંબઈમાં યોજાશે જેમાં તમામ સેલેબ્સ હાજરી આપશે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નવવિવાહિત કપલ હજી હનીમૂન પર જશે નહીં.

તમને જણાવી દઈએ કે પરિણીતી ચોપરા અને તેના પતિ રાઘવ ચઢ્ઢા હનીમૂન પર ક્યાં જઈ રહ્યા છે તે જાણવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સુક છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કપલ હાલમાં હનીમૂન પર જવાનો કોઈ પ્લાન નથી બનાવી રહ્યું. જો કે આ મામલે પરિણીતી કે રાઘવ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
હિંદુસ્તાન ટાઈમ્સના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, પરિણીતી અને રાઘવે તેમના હનીમૂન માટે કોઈ પ્લાન બનાવ્યો નથી અને તે હાલ પૂરતો છોડવા જઈ રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સમયે બંને તેમના પેન્ડિંગ વર્ક કમિટમેન્ટ્સ પર ફોકસ કરવા માંગે છે.
હાલ તેઓ હનીમૂન માટે કોઈ પ્લાન નથી બનાવી રહ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિણીતી ચોપરા તેનું રિસેપ્શન પૂરું થતાં જ તેની આગામી ફિલ્મ 'મિશન રાનીગંજ'નું પ્રમોશન શરૂ કરી દેશે.
હાલમાં પરિણીતી ચોપરા દિલ્હીમાં તેના સાસરિયાના ઘરે હાજર છે. તે તેના પતિ રાઘવ ચઢ્ઢાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. બીજી તરફ રાઘવ ચઢ્ઢા સંસદના શિયાળુ સત્રની તૈયારીઓ શરૂ કરવાના છે.
મીડિયા રિપોર્ટ્સ કહે છે - હાલમાં, નવી વહુ પરિણીતી ચોપરા તેના નવા પરિવાર સાથે, દિલ્હીમાં તેના સાસરિયાઓ સાથે થોડો સમય પસાર કરી રહી છે અને ટૂંક સમયમાં મુંબઈ પરત ફરીને પોતાનું કામ શરૂ કરશે.
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા તેના કામનું શેડ્યૂલ ફરી શરૂ કરશે, જેમાં તેની આગામી ફિલ્મ મિશન રાણીગંજ માટે પ્રમોશનલ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તેમના પતિ રાઘવ ચઢ્ઢાને સંસદના શિયાળુ સત્ર માટે ઘણી તૈયારીઓ કરવી પડશે જે નવેમ્બર અને ડિસેમ્બર વચ્ચે શરૂ થવાની ધારણા છે.
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, દંપતીના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે પરિણીતી અને રાઘવના દિલ્હી અને ચંદીગઢમાં અગાઉના સુનિશ્ચિત રિસેપ્શન્સ રદ કરવામાં આવ્યા છે. આ સિવાય એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ 4 ઓક્ટોબર, 2023ના રોજ મુંબઈમાં એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરશે, જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ સેલેબ્સ અને પરિણીતીના મિત્રો હાજર રહેશે.












Click it and Unblock the Notifications
