રાબિયાના દસ સવાલો પોકારીને કહે છે કે જિયાનું ખૂન થયુ
મુંબઈ, 4 ઑક્ટોબર : ફરી એક વાર જિયા ખાન આત્મહત્યા કેસ ગુંચવાતો જાય છે. ત્રણ માસ અગાઉ હૉટ ટૉપિક બન્યા બાદ અચાનક આ કેસ શાંત થઈ ગયો હતો, પણ આજે અચાનક જિયાના માતા રાબિયા ખાને જિયા ખાનનું ખૂન થયાનો દાવો કરતા આ કેસની અત્યાર સુધીની તપાસ સામે પ્રશ્નચિહ્ન ઊભો થઈ ગયો છે.
રાબિયા ખાને મુંબઈ હાઈકોર્ટમાં એક નવી અરજી દાખલ કરી આરોપ લગાવ્યો છે કે તેમને લાગે છે કે તેમના પુત્રીની હત્યા કરવામાં આવી છે. તેમણે કેસની તપાસ સીબીઆઈ પાસેથી કરાવવાની માંગ કરી છે. રાબિયાના વકીલ દિનેશ તિવારીએ મીડિયાને જણાવ્યું - રાબિયાને લાગે છે કે તપાસ યોગ્ય રીતે નથી થઈ. જ્યાં સુધી આત્મહત્યાનો પ્રશ્ન છે, તો જો આપ તબીબી દૃષ્ટિકોણથી જુઓ અને અન્ય સબૂતો ઉપર ધ્યાન આપો, તો ક્યાંક કશુક ગાયબ છે. આ બાબતનો સંકેત મળે છે. જિયા ખાનનો કેસ સ્પષ્ટ રીતે હત્યાનો કેસ છે.
જો આ વાતો સાચી હોય, તો જિયા ખાનની પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે પ્રશ્નચિહ્ન ઊભો થઈ જાય કે જેમાં કહેવાયું છે કે જિયાનું મોત શ્વાસ રુંધાતા થયું છે અને તેમની બૉડી પર કોઈ પણ જાતની ઈજાના નિશાન નહોતાં. અમિતાભ બચ્ચન સાથે નિશબ્દ ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર જિયા ખાન 3જી જૂન, 2013ના રોજ રાત્રે પોતાના ઘરે ગળેફાંસો લાગેલી હાલતમાં મૃત મળી આવ્યા હતાં. જિયાના મોતને પ્રાથમિક દૃષ્ટિએ આપઘાત ઠેરવવામાં આવી, તો બીજી બાજુ આ કેસમાં જિયાના પ્રેમી સૂરજ પંચોલીની ધરપકડ કરવામાં આવી. કહે છે કે આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલીના પુત્રના માતા બનવાના હતા જિયા ખાન અને સૂરજે પરાણે જિયાનું ગર્ભપાત કરાવ્યુ હતું. તે પછી જિયા ખાન ડિપ્રેશનમાં હતાં. સૂરજ પંચોલી હાલ જામીન પર છે.
આવો જિયા ખાનની દસ તસવીરો સાથે જાણીએ રાબિયા ખાનના દસ સવાલો :

આંખો-જીભ બહાર નહોતાં
જ્યારે કોઈ વ્યક્તિ ફાંસો લગાવે છે, તો તેની આંખો અને જીભ બહાર નિકળી જાય છે, પણ જિયા સાથે એવું નહોતું બન્યું.

ગરદનનો નિશાન પહેલાનો
માત્ર ગરદન લાંબી થઈ જવાથી ફાંસો માની ન શકાય. જે નિશાન પોલીસે ગરદન ઉપર માર્ક કર્યો છે, તે નિશાન જિયા ખાનની ગરદને અગાઉથી જ હતો.

જમણા હોઠે ઈજા
મોત બાદ જિયા ખાનના જમણા હોઠે કંઈક ઈજા જેવો નિશાન હતો.

ડાબા હાથે નિશાન
જિયાના ડાબા હાથે પણ કોઇક નિશાન હતો કે જેને જોઈને લાગતુ હતું કે જાણે તેને કોઈએ બહુ જોશથી પકડી રાખ્યા હોય.

લોહીના ડાઘા
જે રૂમમાં જિયાનું શબ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યું, તે રૂમની જુદી-જુદી જગ્યાઓથી લોહીના નિશાન અને ડાઘા મળ્યાં છે, પણ પોલીસે તેની અવગણના કરી.

દુપટ્ટો મખમલી હતો
જિયાએ જે દુપટ્ટા વડે ફાંસો ખાધો, તે એક મખમલી દુપટ્ટો હતો, પણ જિયાની ગરદન પરનો નિશાન પોકારીને કહેતો હતો કે તેના ગળાને કોઈ સખત વસ્તુથી ઘોંટવામાં આવ્યું છે.

સ્ટૂલ નહોતું
જિયા વગર કોઈ સ્ટૂલની મદદે કઈ રીતે પોતાની જાતને સીલિંગ ફૅન સાથે લટકાવી શકે? ઘરમાં કોઈ સ્ટૂલ નહોતું.

કપડાં કેવી રીતે બદલાયા
સીસીટીવી ફુટેજ જણાવે છે કે ઘરમાં આવ્યા બાદ થોડીક જ મિનિટોમાં જિયાએ આત્મહત્યા કરી લીધી, પણ તેની બૉડી નાઇટ સૂટમાં મળી. આ કેવી રીતે શક્ય છે? જિયાએ ઘરની અંદર ટ્રૅક સૂટ પહેરી પ્રવેશ કર્યો હતો. શું મરનાર મરતા અગાઉ પોતાના કપડા બદલશે અને પછી ફાંસો ખાશે?

એસી ચાલુ-બારીઓ ખુલ્લી
જે રૂમમાં જિયાનું મોત થયું, તેમાં એસી ચાલુ હતું અને બારીઓ ખુલ્લી હતી.

રૂમમાં કોઇક હતું
રૂમમાં કોઇકને કોઇક દાખલ થયુ હોવાનો સંદેહ છે, પણ પોલીસે પોતાની તપાસમાં આ દિશા તરફ લક્ષ્ય જ નથી આપ્યું.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
