મી ટુ પર રજનીકાંતઃ અભિયાન ઘણુ સારુ છે, બસ મહિલાઓ આનો દુરુપયોગ ના કરે

રજનીકાંતે કહ્યુ છે કે મહિલાઓ સાથે યૌનશોષણના કેસોને જાહેર કરવાનું સાધન બનેલ મી ટુ અભિયાન ઘણુ સારુ છે પરંતુ તેનો ખોટો ઉપયોગ મહિલાઓ તરફથી ના થવો જોઈએ.

જાણીતા અભિનેતા અને નેતા રજનીકાંતે કહ્યુ છે કે મહિલાઓ સાથે યૌનશોષણના કેસોને જાહેર કરવાનું સાધન બનેલ મી ટુ અભિયાન ઘણુ સારુ છે. વળી, તેમણે એ પણ કહ્યુ કે મી ટુ અભિયાનનો ખોટો ઉપયોગ મહિલાઓ તરફથી ના થવો જોઈએ. વળી, કેરળના સબરીમાલામાં ચાલી રહેલ ગતિરોધ પર રજનીકાંતે કહ્યુ છે કે તે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સમ્માન કરે છે પરંતુ તેને લાગે છે કે આવા મામલામાં દખલ ના દેવી જોઈએ.

rajni

રજનીકાંતે કહ્યુ કે મી ટુ કેમ્પેઈન શાનદાર છે પરંતુ મહિલાઓ આ અંગે ધ્યાન રાખે કે તેનો દુરુપયોગ ના થાય. તમિલ ગીતકાર વીરામુથુ પર મી ટુ હેઠળ લાગેલા યૌન શોષણના આરોપો પર રજનીકાંતે કહ્યુ કે તેમણે તેને નકાર્યા છે અને પોતાની સામે કેસ કરવાની વાત આરોપ લગાવનારી મહિલાને કહી છે. ફિલ્મ 'પેટ્ટા' ના શૂટિંગથી ચેન્નઈ પાછા ફરેલા રજનીકાંતે શનિવારે આ વાત કહી.

કેરળના સબરીમાલા મંદિરમાં સુપ્રીમ કોર્ટના બધી ઉંમરની મહિલાઓના પ્રવેશને મંજૂરી આપ્યા બાદ આ અંગે થઈ રહેલા વિરોધ પર રજનીકાંતે કહ્યુ છે કે મંદિરો અંગે હસ્તક્ષેપ ન હોવો જોઈએ. રજનીકાંતે કહ્યુ છે કે એક મંદિરમાં લાંબા સમય સુધી પરંપરાઓ ઉપરાંત સમ્માનિત અનુષ્ઠાન થાય છે. મારા મત મુજબ આમાં કોઈ હસ્તક્ષેપ ન કરવો જોઈએ. તમને જણાવી દઈએ કે અદાલતના આદેશ બાદ અમુક મહિલાઓએ મંદિરની અંદર જવાની કોશિશ કરી હતી પરંતુ વિરોધના કારણે તે પ્રવેશ કરી શકી નહોતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X