Saif Ali Khan attack : હુમલા બાદ કેવી છે સૈફ અલી ખાનની તબિયત? જાણો લેટેસ્ટ અપડેટ
Saif Ali Khan attack : અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થયા બાદ તે લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. અહીં સૈફ અલી ખાનની સારવાર ચાલી રહી છે.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, હુમલા બાદ સૈફ અલી ખાનની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. આગામી 2 થી 3 દિવસમાં તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવી શકે છે.

આ ઘટના બાદ સૈફ અલી ખાનની હાલતમાં ઘણો સુધારો થયો છે અને ચોવીસ કલાક સારવાર મળી રહી છે. ફેન્સ અને શુભેચ્છકો તેના ઝડપી સ્વસ્થ થવાની આશા સાથે સપોર્ટ આપી રહ્યાં છે. સૈફનો પરિવાર તેની સાથે છે અને તેના સ્વાસ્થ્ય વિશેના અપડેટ્સ અત્યાર સુધી સકારાત્મક રહ્યા છે.
સૈફ અલી ખાનની ગરદન પર ચાકુના છ ઘા થયા હતા અને લીલાવતી હોસ્પિટલમાં તાત્કાલિક સર્જરી કરાવવી પડી હતી. હુમલા બાદ તાત્કાલિક સૈફને હોસ્પિટલ ખસેડાયો હતો.
લીલાવતી હોસ્પિટલના ન્યુરોસર્જન ડૉ. નીતિન ડાંગેએ જણાવ્યું કે, અમે તેની પ્રગતિ પર નજર રાખી રહ્યા છીએ અને તેઓ અમારી અપેક્ષાઓ મુજબ ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યા છે. અમે તેને આરામ કરવાની સલાહ આપી છે અને જો તેમને આરામદાયક લાગશે તો તે પાછા ફરશે. અમે તેને બે થી ત્રણ દિવસમાં રજા આપીશું.
ગુરુવારે ખાનનું ઓપરેશન કરનાર સર્જિકલ ટીમનું નેતૃત્વ કરનારા ન્યુરોસર્જન દ્વારા પુષ્ટિ કરાઈ હતી કે અભિનેતાની હાલત એટલી સ્થિર છે કે તેમને ICU માંથી વ્યક્તિગત રૂમમાં ખસેડવામાં આવી શકે છે.
ડૉ. ડાંગેએ આગળ જણાવ્યુ કે, સૌફ અલી ખાનને ત્રણ ઈજાઓ થઈ હતી, બે હાથમાં અને એક ગરદનની જમણી બાજુ અને સૌથી મોટો ભાગ પીઠ પર હતો, જે કરોડરજ્જુમાં હતો, જેને આપણે થોરાસિક સ્પાઇન કહીએ છીએ. આમાં એક તીક્ષ્ણ વસ્તુ ફસાઈ ગઈ હતી. ડ્યુરા અને કરોડરજ્જુને સ્પર્શી ગઈ હતી પરંતુ તેનાથી કરોડરજ્જુને કોઈ નુકસાન થયું નથી.
ડોક્ટરોએ સફળતાપૂર્વક તીક્ષ્ણ વસ્તુ દૂર કરી છે અને કરોડરજ્જુની ઇજાને ઠીક કરી છે. તે ખૂબ જ નસીબદાર છે. અમે લીક થતા સ્પાઇનલ ફ્લુઇડ અને ડ્યુરાને ઠીક કર્યા છે.












Click it and Unblock the Notifications
