For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુકાળગ્રસ્ત મરાઠવાડની વહારે આવ્યાં દરિયાદિલ સલમાન

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 3 મે : બૉલીવુડમાં પોતાની દરિયાદિલી માટે જાણીતાં અભિનેતા સલમાન ખાને મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત મરાઠવાડા વિસ્તારની મદદે આવવાનો નિર્ણય કર્યો છે. સલમાન પોતાના એનજીએ બીઇંગ હ્યૂમન ફાઉન્ડેશન દ્વારા મદદ કરશે.

ઔરંગાબાદ સંભાગીય કમિશ્નરને મળેલ એક મેલ મુજબ બીઇંગ હ્યૂમન 6ઠીથી 31મી મે સુધી મરાઠવાડાના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણીના 2500 ટૅંકો ઉપલબ્ધ કરાવશે. કહે છે કે આ ટૅંકોની જળ સંચયન ક્ષમતા 2000 લીટર છે.

બીડ આવાસીય જિલ્લા કમિશ્નર બી એમ કામ્બલેએ જણાવ્યું છે - અમે જળ વિતરણ માટે સંભાગીય કમિશ્નરને માહિતગાર કર્યાં છે. સંભાગીય કમિશ્નર પાસેથી અમને ગઈકાલે આ અંગે ઈ-મેલ મળ્યુ હતું. ઈ-મેલ મુજબ સલમાન ખાનની એનજીઓ બીડ જિલ્લાને 750 જળ ટૅંક ઉપલબ્ધ કરાવશે. ઉપરાંત ઔરંગાબાદ તથા નાંદેડને અઢી-અઢી સો તેમજ ઉસ્માનાબાદ તેમજ જાલનાને 5-5 સો ટૅંકો દ્વારા જળ વિતરણ કરાશે. અગાઉ પણ સલમાન ખાન પોતાની એનજીઓ દ્વારા અનેક જરૂરિયાતમંદોની મદદ કરી ચુક્યાં છે.

English summary
Super Star Salman Khan's NGO Being Human Foundation will help drought effected Marathwada.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X