જેલના ચક્કરમાં છોડવી પડી ઘનચક્કર
મુંબઈ, 1 એપ્રિલ : જેલ જવાના ચક્કરમાં સંજય દત્તે ઘનચક્કર ફિલ્મ છોડવી પડી છે. સંજય દત્ત પાસે સમય નથી કે તેઓ ઘનચક્કરનું શૂટિંગ કરી શકે.
સુપ્રીમ કોર્ટે સંજય દતને 5 વર્ષની સજા ફટકારી છે. જોકે તેમને સાડા ત્રણ વરસ જ જેલમાં રહેવું પડશે. ચાર અઠવાડિયામાં સરેન્ડર કરવાની તેમની મુદ્દત 18મી એપ્રિલે પૂર્ણ થશે.
સંજય દત્ત હાલ પોલીસગિરી અને પીકે ફિલ્મો પૂર્ણ કરવામાં વ્યસ્ત છે અને તેમને મળેલી મુદ્દત દરમિયાન તેઓ આ સિવાયની કોઈ ફિલ્મ કદાચ કરી શકશે નહી. તેથી તેઓ વિદ્યા બાલન અને ઇમરાન હાશમી ફિલ્મ ઘનચક્કરમાંથી બહાર થઈ ગયાં છે. આ ફિલ્મના શૂટિંગ માટે તેમની પાસે સમય નહોતો.
નોંધનીય છે કે ઘનચક્કર ફિલ્મમાં વિદ્યા બાલન અને ઇમરાન હાશમી મુખ્ય ભૂમિકામાં છે. સંજય દત્ત પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જ હતાં, પરંતુ તેમની પાસે સમય ન હોવાથી તેમણે આ ફિલ્મથી પોતાને અળગા કરી લીધાં છે.