For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેલના ચક્કરમાં છોડવી પડી ઘનચક્કર

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 1 એપ્રિલ : જેલ જવાના ચક્કરમાં સંજય દત્તે ઘનચક્કર ફિલ્મ છોડવી પડી છે. સંજય દત્ત પાસે સમય નથી કે તેઓ ઘનચક્કરનું શૂટિંગ કરી શકે.

ghanchakkar-sanjaydutt

સુપ્રીમ કોર્ટે સંજય દતને 5 વર્ષની સજા ફટકારી છે. જોકે તેમને સાડા ત્રણ વરસ જ જેલમાં રહેવું પડશે. ચાર અઠવાડિયામાં સરેન્ડર કરવાની તેમની મુદ્દત 18મી એપ્રિલે પૂર્ણ થશે.

સંજય દત્ત હાલ પોલીસગિરી અને પીકે ફિલ્મો પૂર્ણ કરવામાં વ્યસ્ત છે અને તેમને મળેલી મુદ્દત દરમિયાન તેઓ આ સિવાયની કોઈ ફિલ્મ કદાચ કરી શકશે નહી. તેથી તેઓ વિદ્યા બાલન અને ઇમરાન હાશમી ફિલ્મ ઘનચક્કરમાંથી બહાર થઈ ગયાં છે. આ ફિલ્મના શૂટિંગ માટે તેમની પાસે સમય નહોતો.

નોંધનીય છે કે ઘનચક્કર ફિલ્મમાં વિદ્યા બાલન અને ઇમરાન હાશમી મુખ્ય ભૂમિકામાં છે. સંજય દત્ત પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જ હતાં, પરંતુ તેમની પાસે સમય ન હોવાથી તેમણે આ ફિલ્મથી પોતાને અળગા કરી લીધાં છે.

English summary
Sanjay Dutt is out from Ghanchakkar Movie as Sanjay Dutt has no time to shoot for the film. Sanjay Dutt was playing important role in Rajkumar Gupta's film Ghanchakkar. Sanjay Dutt said that he will surrender and do not want forgiveness.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X