રોયલ & રોમેન્ટિક! રિયલ લાઇફ કપલનું પહેલું ઓફિશિયલ ફોટોશૂટ!
શાહિદ કપૂર અને મીરા રાજપૂત ખૂબ થોડા સમયમાં બોલિવૂડના હોટ કપલ્સમાંના એક બની ગયા. શાહિદ કપૂરે થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર પોતાના અને મીરાના કેટલાક ફોટોઝ પોસ્ટ કર્યા હતા. આ અંગે વધુ વાંચો અહીં.
શાહિદ કપૂર અને મીરા રાજપૂત ખૂબ થોડા સમયમાં બોલિવૂડના હોટ કપલ્સમાંના એક બની ગયા છે. મીરા રાજપૂત ભલે બોલિવૂડ સ્ટાર ના હોય, પરંતુ તેને કોઇ સેલિબ્રિટી જેટલી જ લાઇમલાઇટ મળે છે. શાહિદ અને મીરાની આફ્ટર-મેરેજ લવ સ્ટોરી ફેન્સને પણ ખૂબ એટ્રેક્ટ કરે છે. થોડા સમય પહેલાં શાહિદ કપૂરે સોશિયલ મીડિયા પર પોતાના અને મીરાના કેટલાક ફોટોઝ પોસ્ટ કર્યા હતા, જે ખૂબ વાયરલ થઇ રહ્યાં છે.

શાહિદ અને મીરાનું પહેલું કવર શૂટ
શાહિદ અને મીરાએ હેલો મેગેઝિનના કવર પેજ માટે સુંદર ફોટોશૂટ કરાવ્યું હતું. આ શાહિદ અને મીરાનું પહેલું ઓફિશિયલ મેગેઝિન કવર ફોટોશૂટ હતું. આ તસવીરો શાહિદના ટ્વીટર ફેન ગ્રૂપ દ્વારા પણ પોસ્ટ કરવામાં આવ્યા છે.

જ્યારે મીરા માટે માંગુ આવ્યું...
શાહિદ અને મીરા વચ્ચે લગભગ 10 વર્ષનું અંતર છે અને છતાં આ બંને માને છે કે, તેમનું રિલેશન પરફેક્ટ છે. કોફી વિથ કરણમાં મીરા રાજપૂત આવી ત્યારે તેણે જણાવ્યું હતું કે, જ્યારે શાહિદ કપૂરના ઘરેથી તેના માટે માંગુ આવ્યું ત્યારે મીરાના ઘરવાળાને લાગ્યું હતું કે, શાહિદના નાના ભાઇ ઇશાનનું માંગુ આવ્યું છે.

મીરાએ શાહિદને રિજેક્ટ કર્યો હતો?
ઘણાં ઓછાને ખબર હશે કે, મીરાએ પ્રથમ તો શાહિદ સાથે લગ્ન કરવાની ના પાડી હતી અને એની પાછળનું કારણ હતું બંને વચ્ચેનો એજ-ગેપ. જો કે, ત્યાર બાદ બંનેના પરિવારોએ મળીને મીરાને મનાવી લીધી હતી. શાહિદ કપૂરનું પોતાનું માનવું છે કે, લવ મેરેજ કરતાં આ રીતનું અરેન્જ્ડ મેચ મેકિંગ વધુ સારું છે.

શાહિદ-મીરાની લવ સ્ટોરી
તો બાજી બાજુ મીરાનું કહેવું છે કે, હું આ રિલેશનશિપમાં ઓડિયન્સ છું, શાહિદ સ્ટાર છે. પરંતુ તે મારું ખૂબ ધ્યાન રાખે છે. જ્યારે પણ અમે ભેગા થઇએ, વાતો કરીએ ત્યારે મને ખૂબ મજા આવે છે. શાહિદે તેની અને મીરાની રિલેશનશિપ માટે એક સુંદર વાક્ય ટાંક્યુ હતું, We were falling in love as we were getting married.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
