જિયા ખાન આત્મહત્યા મામલે સૂરજ પંચોલીને મળી રાહત, કોર્ટનો મોટો ચુકાદો
હાલમાં એક એવા સમાચાર આવી રહ્યા છે જે સૂરજ પંચોલી માટે રાહતના સમાચાર લઈને આવ્યા છે.
મુંબઈઃ અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસ ઘણા વર્ષોથી ચર્ચામાં છે અને તેના નિધન બાદ તેના દોસ્ત અને અભિનેતા સૂરજ પંચોલી પર ઘણા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા જેને લઈને કેસ ચાલી રહ્યો છે. થોડા થોડા સમયે આ કેસને લઈને અપડેટ આવતી રહે છે. આ કેસ બાદ સૂરજ પંચોલીને જેલમાં પણ જવુ પડ્યુ હતુ પરંતુ હાલમાં એક એવા સમાચાર આવી રહ્યા છે જે સૂરજ પંચોલી માટે રાહતના સમાચાર લઈને આવ્યા છે.

સીબીઆઈની વિશેષ અદાલતે જિયા ખાનના પરિવાર તરફથી દાખલ કરેલ તપાસ અરજીને રદ કરી દીધી છે. આ અજીને દિવંગત અભિનેત્રીની મા અને સીબીઆઈએ દાખલ કરી હતી જેને અદાલતે મંજૂરી આપી નથી. સૂરજ પંચોલી પર ઘણા ગંભીર આરોપ લાગ્યા છે પરંતુ સૌથી મોટો આરોપ એ છે કે તેણે જિયા ખાનને સુસાઈડ માટે ઉકસાવી હતી. જો કે તેને લઈને કોઈ પુરાવા મળ્યા નથી અને લાગી રહ્યુ છે કે સૂરજ પંચોલીને ઘણી રાહત મળશે.
આ કેસને અત્યાર સુધી 8 વર્ષ વીતી ચૂક્યા છે પરંતુ કોઈ પ્રકારનો ચુકાદો અદાલત તરફથી સંભળાવવામાં આવ્યો નથી. વર્ષ 2013માં જૂનની ત્રીજી તારીખે સહુ કોઈ ચોંકી ગયા હતા જ્યારે ગજનીની અભિનેત્રી જિયા ખાનનુ શબ તેના મુંબઈ સ્થિત ઘરમાં મળી આવ્યુ હતુ.
તમને જણાવી દઈએ કે સૂરજ પંચોલી આદિત્ય પંચોલીનો દીકરો છે અને તે જિયા ખાનના મોત બાદથી વિવાદોમાં છે. જો કે સલમાન ખાને તેની એન્ટ્રી ફિલ્મ હીરોથી બૉલિવુડમાં કરાવી પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો નહિ. આ ફિલ્મમાં સૂરજ પંચોલી સાથે સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી પણ હતી.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
