ડૂબવાથી થયી શ્રીદેવી ની મૌત, શરીરમાં મળ્યો આલ્કોહોલ: રિપોર્ટ
શ્રીદેવી ની મૌતને લઈને ફોરેન્સિક રિપોર્ટ સામે આવી ચુકી છે. યુએઈ ગલ્ફ ન્યુઝ અનુસાર શ્રીદેવીની મૌત ડૂબવાથી થયી છે.
શ્રીદેવી ની મૌતને લઈને ફોરેન્સિક રિપોર્ટ સામે આવી ચુકી છે. યુએઈ ગલ્ફ ન્યુઝ અનુસાર શ્રીદેવીની મૌત ડૂબવાથી થયી છે. રિપોર્ટમાં શ્રીદેવીના શરીરમાં આલ્કોહોલની માત્રા પણ મળી આવી છે. રિપોર્ટ મુજબ દારૂના પ્રભાવને કારણે શ્રીદેવી બાથરૂમમાં પોતાનું સંતુલન ગુમાવી બેઠી અને બાથટબમાં પડી ગયી. બાથટબમાં ડૂબવાથી તેની મૌત થઇ ગયી. શ્રીદેવી પારિવારિક કાર્યકર્મમાં હાજરી આપવા માટે દુબઇ ગયી હતી.

શ્રીદેવી સાથે જ હતા બોની કપૂર
ખલીઝ ટાઈમ્સ અનુસાર શ્રીદેવીની મૌતના સમયે બોની કપૂર તેમની સાથે જ હતા. શ્રીદેવી ના પતિ બોની કપૂર શનિવારે સાંજે મુંબઈ થી દુબઇ તેમની પત્ની ને સરપ્રાઈઝ આપવા માટે ગયા હતા. બોની કપૂર સાંજે લગભગ 5.30 વાગ્યે દુબઇ પહોંચ્યા હતા.

શ્રીદેવી એ દરવાજો ખોલ્યો નહીં
ખલીઝ ટાઈમ્સ અનુસાર હોટેલ રૂમમાં પહોંચ્યા પછી બોની કપૂરે શ્રીદેવીને જગાડી. ત્યારપછી બંને એ લગભગ 15 મિનિટ સુધી વાતચીત કરી. ત્યારપછી બોની કપૂરે શ્રીદેવીને ડિનર પર જવા માટે કહ્યું. શ્રીદેવી તૈયાર થવા માટે બાથરૂમમાં ચાલી ગયી. લગભગ 15 મિનિટ સુધુ દરવાજો ખુલ્યો નહીં તો બોની કપૂરે ધક્કો મારીને દરવાજો ખોલ્યો બોની કપૂર બાથરૂમમાં ગયા તો જોયું કે શ્રીદેવી બાથટબ માં બેહોશ પડી હતી.

આજે મુંબઈ આવી શકે છે શવ
જણાવવામાં આવે છે કાનૂની પ્રક્રિયા અને પોસ્ટમોર્ટમ પછી આજે શ્રીદેવીનું શવ તેમના પરિવારને સોંપવામાં આવશે. ત્યારપછી તેમનું શવ મુંબઈ લાવવામાં આવશે. મુંબઈમાં જ શ્રીદેવીનું અંતિમસંસ્કાર થશે.












Click it and Unblock the Notifications
