અઝાન વિવાદ: હવે આ એક્ટ્રેસે કર્યું છે અઝાન અંગે ટ્વીટ
સોનુ નિગમ બાદ હવે એક્ટ્રેસ અને ગાયિકા સુચિત્રા કૃષ્ણમૂર્તિએ અઝાન અંગે ટ્વીટ કર્યું છે.
સોનુ નિગમે અઝાનમાં ઉપયોગમાં લેવાતા લાઉડસ્પીકર પર આપત્તિ લેતું ટ્વીટ કર્યું હતું, એ વિવાદ ઘણો લાંબો ચાલ્યો હતો. અનેક લોકોની આલોચના બાદ આખરે સોનુએ ટ્વીટર જ છોડી દીધું હતું, પરંતુ તેઓ પોતાના અભિપ્રાય પર મક્કમ રહ્યાં હતા. હવે એક્ટ્રેસ અને સિંગર સુચિત્રા કૃષ્ણમૂર્તિએ અઝાન અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે પણ ટ્વીટમાં અઝાનમાં ઉપયોગમાં લેવાતા લાડઉડસ્પીકર પર વાંધો લીધો છે અને લોકોના ટ્વીટના જવાબ પણ આપ્યા છે.

'આનાથી વધુ મોટી મૂર્ખામી કોઇ નથી'
સુચિત્રાએ અઝાન અંગે ટ્વીટ કરતાં લખ્યું છે, 'હું સવારે 4.45 વાગે ઘરે પહોંચી છું અને અઝાનના અવાજથી મારા કાન ફાટે છે. આનાથી વધુ મૂર્ખામીભરી વાત કોઇ ન હોય શકે, કે તમારી પર દબાણપૂર્વક કટ્ટરતાથી ધાર્મિકતા થોપવામાં આવે.'

સાર્વજનિક સ્પીકરની જરૂર નથી
સાથે જ અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું છે, હું બ્રહ્મમુહુર્તમાં ઊઠું છું, યોગા કરું છું, રિયાઝ કરું છું અને પોતાની રીતે પૂજા-પાઠ કરું છું. આ માટે મને કોઇપણ પ્રકારના સાર્વજનિક લાઉડસ્પીકરની જરૂર નથી. એક ટ્વીટના જવાબમાં તેમણે લખ્યું છે, યોગ્ય સમય પર અઝાન સામે મને કોઇ આપત્તિ નથી. પરંતુ સવારે 5 વાગ્યે આખા મહોલ્લાને આ અવાજથી ઉઠાવડવો એ સભ્ય નથી.

મળ્યું સમર્થન
સુચિત્રાના અઝાન અંગેના આ ટ્વીટને કેટલાક લોકોનું સમર્થન મળ્યું છે, તો કેટલાક તેમનો વિરોધ કરી રહ્યાં છે. ઘણાએ આ મુદ્દો સામે લાવવા બદલ સુચિત્રાનો આભાર પણ માન્યો છે. ઉલ્લેખનીય છે કે, સુચિત્રા કૃષ્ણમૂર્તિ એક્ટ્રેસ અને ગાયિકા છે, તે શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'કભી હાં કભી ના'માં જોવા મળી હતી.

સોનુ નિગમનો અઝાન વિવાદ
સોનુ નિગમે લગભગ 3 મહિના પહેલાં આ જ રીતે અઝાન અંગે ટ્વીટ કર્યું હતું. તેમનું આ ટ્વીટ ખૂબ વાયરલ થયું હતું, તેના પર બહોળા પ્રમાણમાં ચર્ચા અને હોબાળો થયો હતો. સોનુ નિગમ વિરુદ્ધ એક મૌલવી દ્વારા ફતવો પણ બહાર પાડવામાં આવ્યો હતો. જેની સામે જવાબ આપતાં સોનુએ મુંડન કરાવી નાંખ્યું હતું. અનેક સ્પષ્ટીકરણ છતાં સોશિયલ મીડિયા પર સોનુનો વિરોધ ચાલુ રહેતાં આખરે તેમણે પોતાનું ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ જ બંધ કરી દીધું હતું.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
