5 ફીટ 10 ઇંચ હતી સુશાંતની હાઇટ, ફાંસી લગાવવી અશક્ય, પોલીસે આપી આ થિયરી
5 ફીટ 10 ઇંચ હતી સુશાંતની હાઇટ, ફાંસી લગાવવી અશક્ય, પોલીસે આપી આ થિયરી
સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી ફેન્સ માનવા જ તૈયાર નથી કે તેમણે સુસાઇડ કરી લીધો. માટે ફેન્સે સતત સુશાંત સિંહની આત્મહત્યાની રીત પર સવાલ ઉઠાવ્યા અને તેમાંથી એક પ્રશ્ન બહુ વાયરલ થયો હતો.
આ પ્રશ્ન હતો સુશાંત સિંહની હાઇટ અને બિસ્તરથી સીલિંગ ફેનની હાઇટ. જણાવી દઇએ કે સુશાંતના રૂમમાં બિસ્તર પર સ્ટૂલ અથવા ખુરશી જેવી કોઇ ચીજ નહોતી મળી.
ફેન્સનો સવાલ
એવામાં ફેન્સનો સવાલ હતો કે માણસ બિસ્તર ઉભા રહીને પર આરામથી ફંદો બનાવી શકે છે પરંતુ એ ફંદા પર ઝૂલી નહિ શકે. હવે પોલીસ જેમ તેમ કરીને આ કેસ બંધ કરવાની નજીક હતી તેમ તેમ તપાસના ખુલાસા થઇ રહ્યા છે અને હવે આ પ્રશ્નનો જવાબ પણ મળી ચૂક્યો છે.
આજતકના એક રિપોર્ટ મુજબ સુશાંત સિંહ રાજપૂતની હાઇટ 5 ફીટ 10 ઇંચ હતી અને બિસ્તરથી પખાની હાઇટ 11 ઇંચ હતી. એટલે કે એક ઈંચની ગેપ. પરંતુ દૂર્ભાગ્યપૂર્ણ પંખો રૂમની કે બિસ્તરની વચ્ચે નહોતો.
આવી રીતે ફાંસો ખાધો
માટે સુશાંતે ફંદો ત બિસ્તર પર ઉભા રહીને બનાવ્યો પરંતુ પછી તે એ બાજુએ ઝૂલી ગયો જ્યાં બિસ્તરનો સહારો નહોતો. જમીનથી પંખાની દૂરી 8 ફીટ 1 ઇંચ હતી. બાદમાં શ્વાસ રુંધાતાં સુશાંતનું મોત થયું.
રિયાની ડિમાંડ
સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ એક મહિના બાદ ટ્વીટ કરીને લખ્યું કે સુશાંતના મોતની તે સીબીઆઇ તપાસની માંગ કરે છે. તે પણ જાણવા માંગે છે કે આખરી સમયે એવું શું થયું કે સુશાંતે આવડું મોટું પગલું ભર્યું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ
સુશાંત સિંહ રાજપૂતના ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે શ્વાસ રુંધાતા તેનું મોત થયું છે. સુશાંત સિંહ રાજપૂતના આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર પાંચ તબીબોએ તેમના હસ્તાક્ષર કર્યા છે.
ગૃહ મંત્રાલયનો આદેશ
ગૃહ મંત્રી અમિત શાહે પણ એક ચિઠ્ઠી આગળ વધારતાં આ તપાસના આદેશ આપ્યા છે. ટ્વિટર પર પાછલા એક મહિનાથી સુશાંતના મોત માટે સીબીઆઇ તપાસની માંગ કરવામાં આવી રહી છે. આ માંગ કરનારા લોકોમાં એક્ટર શેખર સુમન પણ સામેલ હતા.
સતત પૂછપરછ
આ કેસમાં પોલીસે 38 લોકોના નિવેદન નોંધ્યાં હતાં. જેમાં સુશાંત સિંહ રાજપૂતના અકાઉન્ટેટન્ટ સજય શ્રીધર, તેમના પરિવાર, કેટલાક મિત્ર અને મેનેજર કેશવ, ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામેલ હતા. જેમાં ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી અને શેખર કપૂર પણ સામેલ હતા. જો કે નક્કી કરવામાં આવ્યું કે કરણ જોહર, આદિત્ય ચોપરા અને સલમાન ખાનની કોઇ પૂછપરછ કરવામાં નહિ આવે.
આખરી સમયમાં કેવો વર્તાવ હતો
સુશાંતે 14 જૂનની સવારે પોતાના રૂમમાં ફાંસી લગાવી આપઘાત કરી લીધો. પરંતુ તેના નોકર મુજબ પાછલા કેટલાય દિવસોથી સુશાંતનો વર્તાવ થોડો અજીબ હતો. પરંતુ તે આવડું મોટું પગલું ભરી લેશે તેનો કોઇને અંદાજો નહોતો. આખરી સમયમાં સુશાંત સાથે તેનો એક નોકર અને બે કુક રહી રહ્યા હતા.
રૂમની બહાર ના નીકળ્યો સુશાંત
સુશાંતનો રૂમ અંદરથી બંધ હતો. નોકરે કેટલીય વાર અવાજ લગાવ્યો પણ સુશાંતે અંદરથી કંઇ જવાબ ના આપતાં ડુપ્લિકેટ ચાવી બનાવનારાને બોલાવવામાં આવ્યો જેણે ચાવી બનાવી અને રૂમ ખોલ્યો. રૂમ ખોલવામાં મોડું થઇ ગયું હતું અને ત્યાં સુધીમાં સુશાંત પોતાના અંતિમ શ્વાસ લઇ ચૂક્યો હતો.
ડિપ્રેશનનો શિકાર
સુશાંત સિંહ રાજપૂતના નોકરનું કહેવુ હતું કે તે પાછલા 10 દિવસથી બહુ અજીબ વર્તાવ કરી રહ્યો હતો પરંતુ કોઇના સમજમાં ના આવ્યું. જ્યારે પોતાની ખાસ દોસ્ત રિયાએ પણ પોતાના નિવેદનમાં કહ્યું કે સુશાંત પોતાની દવા નહોતો લઇ રહ્યો.
કુકની પૂછપરછ
નોકર મુજબ સુશાંતે કહ્યું હતું કે તે પોતાનું બધું દેણું ચૂકવી ચૂક્યો છે પરંતુ હવે તેના નોકરોને પગાર નહિ આપી શકે. પરંતુ કોઇ તેની વાત સમજી ના શક્યું. આ મામલે સુશાંતના કુકની હાલમાં જ બીજીવાર પૂછપરછ કરવામાં આવી.
કરોડોની સંપત્તિ
મોતના ત્રણ દિવસ પહેલા સુશાંત સિંહ રાજપૂતે પોતાના પિતા સાથે વાત કરી હતી અને તેમને પોતાનું ધ્યાન રાખવા કહ્યું હતું. સુશાંત ઇચ્છતો હતો કે તેમના પિતા આ કોરોના કાળમાં સંપૂર્ણ સુરક્ષા વરતે. પોલીસે સ્પષ્ટ કર્યું કે સુશાંત સિંહ રાજપૂત આર્થિક રૂપે બહુ મજબૂત હતો. તેને પૈસાની કોઇ કમી નહોતી. સુશાંત પાસે 51 કરોડની સંપત્તિ હતી.
કેટરીના કેફની મોડલિંગના દિવસોની રેર તસવીરો, જુઓ કેટલી બદલાઇ ગઇ એક્ટ્રેસ