ફેને બળજબરી કિસ કરવા પર તનુશ્રીએ નેહાને કહ્યુ, હવે ખબર પડી હશે કે શોષણ શું હોય છે
ભારતમાં #MeToo અભિયાન શરૂ કરનારી તનુશ્રી દત્તાએ હવે અનુ મલિક બાબતે મૌન તોડ્યુ છે.
ભારતમાં #MeToo અભિયાન શરૂ કરનારી તનુશ્રી દત્તાએ હવે અનુ મલિક બાબતે મૌન તોડ્યુ છે. જેમની હાલમાં જ એક વાર ફરીથી સિંગિંગ શો ઈન્ડિયન આઈડલમાં જજ તરીકે વાપસી થઈ છે. અનુ મલિક પર ગાયિકા સોના મહાપાત્રા, શ્વેતા પંડિત, કૈરાલિસા મોંટેરિયો, અલીશા ચિનોય અને નેહા ભસીને છેડતીના આરોપ લગાવ્યા હતા.

ઈન્ટરવ્યુમાં ખુલીને વાત કરી
તેમની જજ તરીકે વાપસી અંગે સોના મહાપાત્રાએ સોની ટીવીની પણ ઘણી ટીકા કરી હતી. હવે આ મામલે અભિનેત્રી તનુશ્રી દત્તાએ એક ઈન્ટરવ્યુમાં ખુલીને વાત કરી છે. તેમણે કહ્યુ છે કે ઘણા હાઈ પ્રોફાઈલ અને પ્રતિભાશાળી મહિલા પોતાની સાથે થયેલ શોષણની કહાનીઓ સાથે આગળ આવી, તેમછતાં પોતાને ફેમિલી ફ્રેન્ડલી ગણાવનાર સોની ટીવીએ જજ તરીકે તેમને ફરીથી બોલાવી લીધા આનાથી મને નવાઈ લાગી છે.

શું બોલી તનુશ્રી?
તનુશ્રીએ કહ્યુ કે શું માનવીય મૂલ્યોથી વધુ જરૂરી છે ટીઆરપી? શું દુષ્કર્મ કરનાર લોકોને તેમના કર્મો માટે જવાબદેહ ગણવા ન જોઈએ? તનુશ્રીએ નેહા કક્કડ પર પણ હુમલો કર્યો કારણકે તે અનુ મલિકની શોમાં વાપસી વિશે ચૂપ હતી. તેમણે કહ્યુ કે ‘જ્યારે પ્રતિયોગીએ તેમને બળજબરીથી કિસ કરી ત્યારે ખબર પડી હશે કે શોષણ શું હોય છે. અનુ મલિક સાથે કામ કરવાના પોતાના નિર્ણયની જેમ જ નેહાએ તે ઘૃણિત (પ્રતિયોગી) સામે કોઈ કાર્યવાહી કરી નહિ.'

અનુ મલિકે ફગાવી દીધા હતા આરોપ
તમને જણાવી દઈએ કે હાલમાંજ અનુ મલિકે એક નિવેદન જારી કરીને પોતાના પર લાગેલા આરોપને ખોટા ગણાવ્યા હતા. તેમણે ટ્વિટર પર લખ્યુ હતુ, ‘બે દીકરીઓના પિતા હોવાના નાતે હું એવા કામોની કલ્પના નથી કરી શકતો, જેના મારા પર આરોપ લગાવવામાં આવ્યા છે, તેમને કરવા દો.' અનુ મલિકે પોતાના નિવેદનમાં જ્યારે કહ્યુ કે તે એ ગાયિકાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરશે. આના પર સોના મહાપાત્રાએ કહ્યુ કે, ‘હા, કોર્ટમાં જાવ, હું તમને આમ કરવાનો અનુરોધ કરુ છુ.'

સોના મહાપાત્રાએ લગાવ્યા હતા આરોપ
આ પહેલા પણ સોના મહાપાત્રાએ એલ પત્ર ટ્વિટ કરીને અનુ મલિક પર ઘણા આરોપ લગાવ્યા હતા. એક બાદ એક ઘણી અન્ય ગાયિકાએએ પણ તેમની સાથે ગાયુ હતુ. ગાયિકા નેહા ભસીને પોતાની સાથે થયેલ ઘટના વિશે ગણાવ્યુ હતુ. જો કે નેહા કક્કડ આ મામલે એ વખતે પણ ચૂપ હતી. જેના કારણે સોના મહાપાત્રાએ તેના પર જોરદાર હુમલો કર્યો હતો.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
