પીઢ કથક ડાન્સર પંડિત બિરજુ મહારાજનું નિધન
જાણીતા પીઢ કથક નૃત્યાંગના પંડિત બિરજુ મહારાજનું નિધન થયું છે. મળતી માહિતી મુજબ 83 વર્ષીય પંડિત બિરજુ મહારાજને હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમનું નિધન થયું હતું. પંડિત બિરજુ મહારાજ એક મહાન કથક નર્તક તરીકે જાણીતા હતા.
Bollywood News : જાણીતા પીઢ કથક નૃત્યાંગના પંડિત બિરજુ મહારાજનું નિધન થયું છે. મળતી માહિતી મુજબ 83 વર્ષીય પંડિત બિરજુ મહારાજને હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમનું નિધન થયું હતું. પંડિત બિરજુ મહારાજ એક મહાન કથક નર્તક તરીકે જાણીતા હતા, તેમના ચાહકો તેમને પંડિતજી કહીને બોલાવતા હતા. પંડિત બિરજુ મહારાજ ભારતના ટોચના કથક નર્તકોમાંના એક હતા.

ઉલ્લેખનીય છે કે, પંડિત બિરજુ મહારાજનું સાચું નામ પંડિત બ્રીજમોહન મિશ્રા છે, તેમનો જન્મ 4 ફેબ્રુઆરી, 1938ના રોજ થયો હતો. પંડિત બિરજુ મહારાજ લખનઉ કાલિકા બિન્દાદિન ઘરાનાના અગ્રણી શાસ્ત્રીય કથક નૃત્યાંગના હતા. બિરજુ મહારાજના બે કાકા તળ શંભુ મહારાજ, લચ્છુ મહારાજ અને બિરજુ મહારાજના પિતા અચ્છન મહારાજ પણ આ ઘરાનામાંથી આવતા હતા. બિરજુ મહારાજને તેમના પિતાએ તાલીમ આપી હતી અને તેઓ તેમના ગુરુ હતા. પંડિત બિરજુ મહારાજ નર્તકની સાથે શાસ્ત્રીય ગાયક પણ હતા.
પંડિત બિરજુ મહારાજે સત્યજીત રેની ફિલ્મ ચેસ કે ખિલાડીમાં પણ સંગીત આપ્યું અને બે ગીતો ગાયા હતા. આ ઉપરાંત તેમણે 2002માં શાહરૂખ ખાનની ફિલ્મ દેવદાસમાં કાહે છેદ છે મોહે ગીતની કોરિયોગ્રાફી પણ કરી હતી. પંડિત બિરજુ મહારાજે ઘણી ફિલ્મોમાં નૃત્ય કમ્પોઝ કર્યું હતું. જેમાં મુખ્યત્વે દેઢ ઇશ્કિયા, ઉમરાવ જાન, બાજી રાવ મસ્તાની મહત્વના છે. પંડિત બિરજુ મહારાજને બાજીરાવ મસ્તાનીમાં ગીત મોહે રંગ દો લાલની કોરિયોગ્રાફી માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
આ સાથે બિરજુ મહારાજને 2012માં આવેલી ફિલ્મ વિશ્વરૂપમમાં કોરિયોગ્રાફી માટે નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પંડિત બિરજુ મહારાજને તેમની ઉત્તમ કળા માટે પદ્મ વિભૂષણ, સંગીત નાટક અકાદમી પુરસ્કાર, કાલિદાસ સન્માનથી નવાજવામાં આવ્યા છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
