જાણીતા ગુજરાતી અભિનેતા જગદીશ ઠાકોરનું નિધન
જાણીતા ગુજરાતી અભિનેતા અને ગાયક જગદીશ ઠાકોરનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ
ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા અને ગાયક જગદીશ ઠાકોરનું જન્માષ્ટમીના રોજ હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. બુધવારે તેમના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. તેમની અંતિમ યાત્રામાં ઠાકોર સમાજ સહિત ગુજરાતી ફિલ્મ ક્ષેત્રના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. તેઓ જન્માષ્ટમી ઉજવવા માટે પોતાના વતન બલાસણા ગયા હતા. જન્માષ્ટમીના દિવસે સવારે અચાનક જ તેમને હૃદયરોગનો હુમલો આવતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કરતાં પરિવાર શોકમગ્ન થઇ ગયો હતો. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. જગદીશ ઠાકોરની ઉંમર માત્ર 36 વર્ષ હતી.

તેઓ ગુજરાતી ફિલ્મો ઉપરાંત ડાયરા અને આલ્બમના ગાયક તથા ગીતકાર તરીકે પણ પ્રસિદ્ધ હતા. તેમણે લગભગ 200 આલ્બમ બહાર પાડ્યા હતા. જદગીશ ઠાકોર ગુજરાતી ફિલ્મોના એક્શન કિંગ કહેવાતા હતા. ખૂબ નાની વયે સફળતાનો સ્વાદ ચાખનાર જગદીશ ઠાકોર સરળ સ્વભાવના અને ઉમદા કલાકાર તરીકે જાણીતા હતા. તેમણે 50 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
