ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનુ નિધન, કનોડિયા બંધુઓની વિદાયથી ચાહકો શોકમાં
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનુ કોરોનાના કારણે 77 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ છે.
ગાંધીનગરઃ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનુ કોરોનાના કારણે 77 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણના કારણે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં ભરતી હતા જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. બે દિવસ પહેલા નરેશ કનોડિયાના મોટાભાઈ મહેશ કનોડિયાનુ પણ નિધન થયુ હતુ.
રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મ જગતના ખ્યાતનામ અભિનેતા નરેશ કનોડિયાના દુઃખજ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે. સીએમ વિજય રૂપાણી લખ્યુ કે સ્વ. નરેશ કનોડિયાએ ગુજરાતી ચલચિત્ર જગતમાં અભિનયના ઓજસ પાથરીને દસકાઓ સુધી લોક માનસમાં એક આગવુ સ્થાન મેળવ્યુ. તેમનુ આ યોગદાન ગુજરાતી ચલચિત્ર જગતમાં સદાકાળ અવિસ્મરણીય બની રહેશે. શ્રી વિજયભાઈ રૂપાણીએ દિવંગતના આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરીને તેમના શોકાતુર પરિવારજનોને સાંત્વના પાઠવી છે.
ઉલ્લેખનીય છે નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર ગણાય છે. તેમણે ગુજરાતીમાં ઘણી બધી ફિલ્મો કરી છે. તેમના પુત્ર હિતુ કનોડિયા પણ ફિલ્મોના કલાકાર છે તેમજ ભાઈ મહેશ કનોડિયા પણ ભાજપના રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે.
ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને ભાજપા અગ્રણીશ્રી નરેશભાઈ કનોડિયાના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું.આગવા અભિનય દ્વારા ગુજરાતી ચલચિત્રોને લોકપ્રિય બનાવી ગુજરાતીઓનું હ્રદય જીતનાર સદાબહાર અભિનેતાની ખોટ ગુજરાતને હંમેશા રહેશે.સામાજીક અને કલાક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન નવી પેઢીને પ્રેરણા આપશે pic.twitter.com/7lAiDtPYHx
— Vijay Rupani (@vijayrupanibjp) October 27, 2020
જાણો કોણ છે પ્રીતિકા ચૌહાણ, જે ડ્રગ્ઝ ખરીદતી વખતે પકડાઈ, મા પાર્વતીના રોલથી થઈ હતી ફેમસ